AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેતાઓ નિયંત્રણનો ડોઝ ક્યારે લેશે ? ભાજપના આ રાષ્ટ્રીય મંત્રી કોરોના સંક્રમિત હોવા છતા ફ્લાઈટની કરી મુસાફરી

ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને ગોરખપુર પ્રદેશના ચૂંટણી પ્રભારી અરવિંદ મેનન કોરોના પોઝિટીવ હોવા છતાં ફ્લાઈટમાં ગોરખપુરથી નવી દિલ્હી જવા રવાના થતાં ખળભળાટ મચી ગયો છે.

નેતાઓ નિયંત્રણનો ડોઝ ક્યારે લેશે ? ભાજપના આ રાષ્ટ્રીય મંત્રી કોરોના સંક્રમિત હોવા છતા ફ્લાઈટની કરી મુસાફરી
Arvind Menon (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 2:57 PM
Share

Uttar Pradesh: એક તરફ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જ્યારે બીજી તરફ નેતાઓ બેફામ બની રહ્યા છે. ઉતરપ્રદેશ રાજ્યના ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને ગોરખપુર પ્રદેશના ચૂંટણી પ્રભારી અરવિંદ મેનન, (Arvind Menon) ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ શિવ પ્રતાપ શુક્લા અને એસપી સિટી સોનમ કુમાર સહિત ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.

આ બધાની વચ્ચે ભાજપના નેતાની મોટી બેદરકારી સામે આવી છે. પોઝિટીવ હોવા છતાં અરવિંદ મેનન ફ્લાઈટમાં ગોરખપુરથી નવી દિલ્હી જવા રવાના થતા ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે ભાજપ નેતા અરવિંદ મેનન શુક્રવારે કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલા પણ અરવિંદ મેનને ગુરુવારે રાજીમાં યોજાયેલી પ્રદેશ મહાસચિવ સંગઠન સુનીલ બંસલની (Sunil Bansal) બેઠકમાં હાજરી આપી હતી. ત્યારે આ નેતાઓ જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવુ લાગી રહ્યું છે.

નેતાજીએ ફ્લાઈટના યાત્રીઓના જીવ જોખમમાં મુક્યા

કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર સમગ્ર દેશમાં કોરોના વિસ્ફોટ થયો છે. ત્યારે કોરોના સંક્રમિત હોવા છતાં ભાજપના નેતા અરવિંદ મેનન ગોરખપુર (Gorkhpur) એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા. આ બેદરકારીના કારણે નેતાએ ફ્લાઈટના અનેક યાત્રીઓના જીવ જોખમમાં મુક્યા છે.

રાજ્યમાં એક દિવસમાં 3 હજારથી વધુ કેસ નોંધાયા

ગુરુવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,121 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે એકનું મોત નીપજ્યુ છે. માત્ર લખનૌમાં 400થી વધુ નવા કેસ નોંધાતા તંત્ર દોડતુ થયુ છે.

આ નવા કેસ સાથે સક્રિય કેસોની સંખ્યા 8,224 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 16,88,105 દર્દીઓે કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના કુલ 12,98,89,556 લોકોને પ્રથમ ડોઝ અને 7 કરોડ 61 લાખથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કોરોનાથી હાહાકાર : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આજે PM મોદી સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">