AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab : પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન

માને એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ ગરીબ લોકોને રાશન મેળવવા માટે રાશનની દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે.

Punjab : પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન
પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 12:30 PM
Share

Punjab: પંજાબ સરકારે રાશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત માન(Punjab CM Bhagwant Mann)ની આગેવાની હેઠળની સરકારે કહ્યું છે કે, પંજાબમાં રાશનની ડોર સ્ટેપ ડિલિવરી ( ration Door Step Delivery)શરૂ થશે. સરકાર ઘરે ઘરે રાશન પહોંચાડશે. આ કામ માત્ર અધિકારીઓ જ કરશે. આ યોજના દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે શરૂ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે દિલ્હીમાં આ યોજના બંધ કરી દીધી હતી.

ભગવંત માન આજે પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે

આ પહેલા પંજાબ આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા માહિતી આપી હતી કે મુખ્યમંત્રી ભગવંત માન આજે પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. માને એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ ગરીબ લોકોને રાશન મેળવવા માટે રાશનની દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જ્યારે દુનિયા એટલી ડીજીટલ બની ગઈ છે કે ફોન કોલ પર જે પણ ઓર્ડર કરે છે તે ઘરે આવી જાય છે.

રાશન મેળવવા માટે દૈનિક મજૂરી છોડવી પડે છે

તેમણે કહ્યું કે ઘણી વખત ગરીબોને રાશન મેળવવા માટે તેમની દૈનિક મજૂરી છોડવી પડે છે. એ દુઃખદ છે. જેમને એક જ દિવસે કમાવવાનું અને ખાવાનું હોય છે, તેઓએ તેમના હિસ્સાના રાશન મેળવવા માટે દૈનિક મજૂરી છોડી દેવી પડે છે. હું એવી વૃદ્ધ માતાઓને પણ ઓળખું છું જેઓ બે કિલોમીટર ચાલીને રેશન ડેપો જાય છે. પછી તે તેને સાફ કરે છે. કેટલીકવાર તે રાશન ખાવા માટે પણ યોગ્ય હોતું નથી, પરંતુ તેમ છતાં તેમને તે ખાવું પડે છે. જો કે હવે આવું નહીં થાય. તેમણે કહ્યું કે તમારા દ્વારા ચૂંટાયેલી આમ આદમી પાર્ટીની સરકારે નિર્ણય લીધો છે કે આવા લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો : 9 રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માગ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">