AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાર્ગેટ કિલિંગ બાદ કેન્દ્ર એક્શનમાં, ખીણમાં સર્ચ ઓપરેશન તેજ, ​​શ્રીનગરમાં પ્રથમ વખત CRPFની મહિલા બટાલિયન ખડકી દેવાઈ

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની મહિલા કર્મચારીઓને સુરક્ષા માટે શ્રીનગર (Shrinagar)ના લાલ ચોક પર તૈનાત કરવામાં આવી છે, દરેક પસાર થતા વ્યક્તિ પર નજર રાખવામાં આવે છે

ટાર્ગેટ કિલિંગ બાદ કેન્દ્ર એક્શનમાં, ખીણમાં સર્ચ ઓપરેશન તેજ, ​​શ્રીનગરમાં પ્રથમ વખત CRPFની મહિલા બટાલિયન ખડકી દેવાઈ
CRPF's women's battalion deputed for first time in Srinagar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:50 PM
Share

Jammu Kashmir: આતંકીઓએ જમ્મુ -કાશ્મીરમાં આતંક ફેલાવ્યો છે. આ મહિને તેઓએ 11 લોકોની હત્યા કરી હતી, ત્યારબાદ કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory)માં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દરેક જગ્યાએ નજર રાખવામાં આવી રહી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની મહિલા કર્મચારીઓને સુરક્ષા માટે શ્રીનગર (Shrinagar)ના લાલ ચોક પર તૈનાત કરવામાં આવી છે. દરેક પસાર થતા વ્યક્તિ પર નજર રાખવામાં આવે છે અને તેની શોધ કરવામાં આવે છે. આ પ્રથમ વખત છે જ્યારે CRPF ની મહિલા કર્મચારીઓને તૈનાત કરવામાં આવી છે. 

રાજધાની શ્રીનગરમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જૂના શહેર શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. તે જ સમયે, કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટની સ્પીડ ઓછી કરવામાં આવી છે. સુરક્ષાની સમીક્ષા કરવા માટે અનેક બેઠકો યોજાઈ છે. સચિવાલય અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળોની આસપાસ સુરક્ષા દળોની સંખ્યા વધારવામાં આવી છે. 

નાગરિક હત્યાની તપાસના ભાગરૂપે પોલીસે સેંકડો લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી છે. કાઉન્ટર ઈનરજન્સી ઓપરેશન પણ તેજ કરવામાં આવ્યું છે. પોલીસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓએ 13 આતંકવાદીઓને ઠાર કર્યા છે. કેન્દ્ર પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા માટે કાશ્મીરની મુલાકાત લે તેવી શક્યતા છે. 

તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના પૂંચ અને રાજૌરી જિલ્લાઓમાં જંગલ વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરી મંગળવારે નવ દિવસ પૂર્ણ કરી છે અને મેંધરમાં, સ્થાનિક લોકોને જાહેરનામા કરીને તેમના ઘરોમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. આ માહિતી અધિકારીઓએ આપી હતી. તેમણે કહ્યું કે ભટ્ટા દુરિયા અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક મસ્જિદોમાંથી મુનાદીઓ બનાવીને લોકોને ચેતવણી આપવામાં આવી હતી. સુરક્ષા દળો પૂંછ જિલ્લાના મેંધરમાં જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ સામે અંતિમ ઘા ની તૈયારી કરી રહ્યા છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકોને અભિયાનને ધ્યાનમાં રાખીને જંગલ વિસ્તારમાં ન જવા અને તેમના ઢોરને તેમના ઘરમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. બહાર ગયેલા લોકોને પશુઓ સાથે ઘરે પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. પૂંચના સુરનકોટ વિસ્તારમાં 11 ઓક્ટોબરથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં જેસીઓ સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">