AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશની વધુ એક સિદ્ધિ : માત્ર 10 દિવસમાં 3 કરોડ કિશોરોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

હાલ કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોના કેસમાં ઉછાળો આવતા દેશમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

દેશની વધુ એક સિદ્ધિ : માત્ર 10 દિવસમાં 3 કરોડ કિશોરોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
Child Vaccination (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 3:42 PM
Share

Child Vaccination : ભારતમાં કિશોરોના રસીકરણની કામગિરી(Child Vaccination)  પૂરજોશમાં ચાલી રહ્યુ છે. 3 જાન્યુઆરીથી શરૂ થયેલા 15-18 વર્ષની વયજૂથના કિશોરો માટે રસીકરણ કાર્યક્રમે એક મોટી સિદ્ધી હાંસલ કર્યું છે. અહેવાલો અનુસાર, 30 મિલિયનથી વધુ કિશોરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ (Corona Vaccine) આપવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ (DR.Mansukh Mandaviya) જણાવ્યુ કે, 15-18 વર્ષની વયના 3 કરોડથી વધુ યુવાનોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં 3 જાન્યુઆરીથી કિશોરોનું રસીકરણ શરૂ થયુ છે.

ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીના રોજ બે કરોડ કિશોરોને પ્રથમ ડોઝ મળી ગયો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ‘ કિશોરોના રસીકરણ કાર્યક્રમને એક અઠવાડિયા કરતા પણ ઓછા સમય પહેલા શરૂ કરવામાં આવ્યુ હતુ, 15-18 વર્ષની વય જૂથના 20 મિલિયનથી વધુ કિશોરોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.”

દિલ્હીની શાળાઓમાં કિશોરો માટે રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવશે

વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે (Delhi Government) તેના અધિકારીઓને રાજ્યની 20 શાળાઓમાં 15-18 વર્ષના કિશોરો માટે અસ્થાયી રસીકરણ કેન્દ્રો ખોલવાનો નિર્દેશ આપ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન (DOE) એ એક સત્તાવાર આદેશમાં જણાવ્યુ હતુ કે, “તમામ DDEs (જિલ્લાઓ) અને DDEs (ઝોન) ને 20 શાળાઓમાં 15-18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે કામચલાઉ રસીકરણ કેન્દ્રો ખોલવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. એટલુ જ નહી રસીકરણ કેન્દ્રો માટે શાળાના આચાર્ય દ્વારા અલગથી પૂરતી જગ્યા પણ આપવામાં આવશે.

દેશમાં 154.61 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં 154.61 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. ભારતમાં લગભગ 64 કરોડ લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું છે. જો આપણે વસ્તી મુજબ વાત કરીએ તો દેશમાં 46 ટકાથી વધુ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. હાલ કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોના કેસમાં ઉછાળો આવતા વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">