AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

બુધવારે દેશભરમાં કોવિડ-19 ના 2,47,417 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 380 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.

દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ
increase corona case in india (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 12:55 PM
Share

Corona Update : ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના (Corona case in india) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે દેશભરમાં કોવિડ-19 ના 2,47,417 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 380 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. આ સાથે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,85,035 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, નવા કેસ સાથે ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની (Active Corona Case) સંખ્યા હવે વધીને 11.17 લાખ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, બુધવારે સામે આવેલા કેસ મંગળવાર કરતા 27 ટકા વધુ છે.

કોરોનાનો કહેર યથાવત

માહિતી અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન 84,825 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જે બાદ ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,47,15,361 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.47 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળાવારે આ આંકડો 1,94,720 હતો. માત્ર 24 કલાકમાં સંક્રમણના કેસોમાં 52,697 કેસનો વધારો જોવા મળ્યો છે. તેબીજી તરફ દેશમાં Omicron વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ 5 હજારને પાર પહોંચી ગઈ છે.

18 લાખથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો

દેશમાં હાલમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,17,531 છે, જે કુલ કેસના 3.08 ટકા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર 13.11 ટકા છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 10.80 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યુ કે, બુધવારે ભારતમાં કોરોના વાયરસ માટે 18,86,935 નમૂનાનુ પરીક્ષણ કરવામાં આવ્યા હતુ, આ સાથે દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને 69,73,11,627 થઈ ગયો છે.

રસીકરણનો કુલ આંકડો 154.61 કરોડને પાર

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 154.61 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારે દેશમાં 76,32,024 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી રિપોર્ટ અનુસાર, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને 1,54,61,39,465 થઈ ગયો છે.

આ પણ વાંચો : Corona Crisis: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે આજે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">