AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

બુધવારે દેશભરમાં કોવિડ-19 ના 2,47,417 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 380 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.

દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ
increase corona case in india (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 12:55 PM
Share

Corona Update : ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના (Corona case in india) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે દેશભરમાં કોવિડ-19 ના 2,47,417 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 380 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. આ સાથે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,85,035 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, નવા કેસ સાથે ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની (Active Corona Case) સંખ્યા હવે વધીને 11.17 લાખ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, બુધવારે સામે આવેલા કેસ મંગળવાર કરતા 27 ટકા વધુ છે.

કોરોનાનો કહેર યથાવત

માહિતી અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન 84,825 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જે બાદ ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,47,15,361 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.47 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળાવારે આ આંકડો 1,94,720 હતો. માત્ર 24 કલાકમાં સંક્રમણના કેસોમાં 52,697 કેસનો વધારો જોવા મળ્યો છે. તેબીજી તરફ દેશમાં Omicron વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ 5 હજારને પાર પહોંચી ગઈ છે.

18 લાખથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો

દેશમાં હાલમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,17,531 છે, જે કુલ કેસના 3.08 ટકા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર 13.11 ટકા છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 10.80 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યુ કે, બુધવારે ભારતમાં કોરોના વાયરસ માટે 18,86,935 નમૂનાનુ પરીક્ષણ કરવામાં આવ્યા હતુ, આ સાથે દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને 69,73,11,627 થઈ ગયો છે.

રસીકરણનો કુલ આંકડો 154.61 કરોડને પાર

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 154.61 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારે દેશમાં 76,32,024 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી રિપોર્ટ અનુસાર, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને 1,54,61,39,465 થઈ ગયો છે.

આ પણ વાંચો : Corona Crisis: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે આજે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">