Covid-19 In India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.72 લાખ નવા કેસ, દૈનિક પોઝિટીવ દર 10.99 ટકા

Coronavirus in India: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1,72,433 નવા દર્દીઓ નોંધાયા છે. આ દરમિયાન 1,008 લોકોના મોત થયા છે.

Covid-19 In India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.72 લાખ નવા કેસ, દૈનિક પોઝિટીવ દર 10.99 ટકા
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 10:22 AM

Covid-19 in India: ભારત (India Covid Cases)માં ફરી એકવાર કોરોના વાઈરસના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19 (Covid-19)ના 1,72,433 નવા કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં 1,61,386 નવા કેસ નોંધાયા હતા. નવા કોવિડ કેસોમાં 6.8 ટકાનો ઉછાળો આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ (Covid)ને કારણે 1,008 લોકોના મોત થયા છે. બુધવારે સામે આવેલા મૃતકોની સંખ્યાની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે. બુધવારે 1,733 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 15,33,921 છે. કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો હોવાનું જણાય છે, કારણ કે બુધવારે 16,21,603 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. પરંતુ આ સંખ્યામાં લગભગ એક લાખનો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં રિકવરી રેટ લગભગ 95 ટકા છે. તે જ સમયે, કોરોનાને કારણે 1,008 લોકોના મૃત્યુ પછી દેશમાં મૃતકોની સંખ્યા વધીને 4,98,983 થઈ ગઈ છે. જો આપણે દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ તો તે હાલમાં 10.99 ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટમાં વધારો થયો છે.

18-44 વર્ષની વયજૂથમાં 54 કરોડથી વધુ લોકોએ રસી લીધી

આ પહેલા બુધવારે કહેવામાં આવ્યું હતું કે ભારતમાં કોરોના રસીના 167.80 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બુધવારે રસીના 48 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. માહિતી અનુસાર રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં 18-44 વર્ષની વય જૂથના 54 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સિવાય સમાન વય જૂથના 41 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ભારતમાં બાળકોનું રસીકરણ પણ ચાલી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ભારતમાં 15-18 વર્ષની વય જૂથમાં લગભગ પાંચ કરોડ બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 20 લાખ બાળકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં જ સમગ્ર વસ્તીને રસી આપવામાં આવશે

જો આપણે પ્રીકૉશન ડોઝ વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ લાભાર્થીઓને ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાઈરસથી બચવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ચીન પછી ભારત બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં રસીકરણની ઝડપને જોતા ટૂંક સમયમાં જ સમગ્ર વસ્તીને રસી આપવામાં આવશે. જો કે, કોરોનાના વારંવારના કેસોને ધ્યાનમાં રાખીને લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે, તેઓએ સાવચેતી રાખવી અને નિયમોનું પાલન કરવું જોઈએ.

આ પણ વાંચો : Russia Ukraine Conflict: રાષ્ટ્રપતિ બાઈડને 2000 અમેરિકી સૈનિકોને યૂરોપ મોકલવાનો આપ્યો આદેશ, રશિયાએ ઉઠાવ્યો વાંધો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">