રસીકરણમાં ભારતની સિદ્ધી : દેશમાં કોરોના રસીકરણ અભિયાનમાં 99 કરોડ ડોઝનું રસીકરણ પૂર્ણ
Corona vaccination : ભારતમાં કોવિડ -19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.
DELHI : કોરોના રસીકરણ (Corona vaccination) અભિયાનમાં ભારતે વધુ એક સિદ્ધી પપ્રાપ્ત કરી છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 99 કરોડ (99 crore doses)થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં દેશમાં 100 કરોડ રસીઓ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક પણ પ્રાપ્ત થશે. દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ( Mansukh Mandaviya)એ ટ્વિટ કર્યું કે અમે 99 કરોડના આંકડા પર છીએ. તેમણે કહ્યું કે આપણે 100 કરોડ રસીઓના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સતત આગળ વધી રહ્યા છીએ.
We are at 99 crores 💉
Go for it India, continue to rapidly march towards our milestone of 100 crore #COVID19 vaccinations. pic.twitter.com/jq9NKnw8tF
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 19, 2021
ભારતમાં કોવિડ -19 રસીકરણ અભિયાન (Corona vaccination campaign) 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં, આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સને 2 ફેબ્રુઆરીથી રસીકરણ માટે લાયક ગણવામાં આવ્યા. જેમાં કેન્દ્રીય અને રાજ્યના પોલીસકર્મીઓ, સશસ્ત્ર દળો, હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવકો, મ્યુનિસિપલ કામદારો, જેલ સ્ટાફ, PRI સ્ટાફ અને કન્ટેનમેન્ટ અને સર્વેલન્સ ઝોનમાં રોકાયેલા મહેસૂલ કર્મચારીઓ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ચૂંટણી સ્ટાફ સામેલ હતા.
છેલ્લા એક દિવસમાં દેશમાં કોરોના વાયરસના માત્ર 13,058 નવા કેસ મળ્યા છે, આ આંકડો છેલ્લા 231 દિવસમાં સૌથી ઓછો છે. એક તરફ, નવા કેસોમાં આટલો મોટો ઘટાડો થયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 19,470 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આ સાથે, એક્ટીવ કેસોની સંખ્યા પણ 1,83,118 ના સ્તરે આવી ગઈ છે, જે 227 દિવસમાં સૌથી ઓછી છે.
દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 40 લાખ 94 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 52 હજાર 454 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 58 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટીવ કેસોની સંખ્યા બે લાખથી ઓછી થઈ ગઈ છે. કુલ 1,83, 118 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : Capt Amarinder Singhની મોટી જાહેરાત, નવેમ્બરમાં બનાવશે પોતાની પાર્ટી, જાણો કોની સાથે ગઠબંધન કરશે
આ પણ વાંચો : Uttarakhand Flood: ઉત્તરાખંડમાં અત્યાર સુધી 34 લોકોના મૃત્યુ, સૌથી વધુ નૈનીતાલમાં લોકોએ ગુમાવ્યો જીવ, જાણો તમામ વિગતો