રસીકરણમાં ભારતની સિદ્ધી : દેશમાં કોરોના રસીકરણ અભિયાનમાં 99 કરોડ ડોઝનું રસીકરણ પૂર્ણ

Corona vaccination : ભારતમાં કોવિડ -19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

રસીકરણમાં ભારતની સિદ્ધી : દેશમાં  કોરોના રસીકરણ અભિયાનમાં 99 કરોડ ડોઝનું રસીકરણ પૂર્ણ
Corona vaccination campaign in India completes vaccination of 99 crore doses
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:35 PM

DELHI : કોરોના રસીકરણ (Corona vaccination) અભિયાનમાં ભારતે વધુ એક સિદ્ધી પપ્રાપ્ત કરી છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 99 કરોડ (99 crore doses)થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં દેશમાં 100 કરોડ રસીઓ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક પણ પ્રાપ્ત થશે. દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ( Mansukh Mandaviya)એ ટ્વિટ કર્યું કે અમે 99 કરોડના આંકડા પર છીએ. તેમણે કહ્યું કે આપણે 100 કરોડ રસીઓના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સતત આગળ વધી રહ્યા છીએ.

ભારતમાં કોવિડ -19 રસીકરણ અભિયાન (Corona vaccination campaign) 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં, આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સને 2 ફેબ્રુઆરીથી રસીકરણ માટે લાયક ગણવામાં આવ્યા. જેમાં કેન્દ્રીય અને રાજ્યના પોલીસકર્મીઓ, સશસ્ત્ર દળો, હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવકો, મ્યુનિસિપલ કામદારો, જેલ સ્ટાફ, PRI સ્ટાફ અને કન્ટેનમેન્ટ અને સર્વેલન્સ ઝોનમાં રોકાયેલા મહેસૂલ કર્મચારીઓ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ચૂંટણી સ્ટાફ સામેલ હતા.

છેલ્લા એક દિવસમાં દેશમાં કોરોના વાયરસના માત્ર 13,058 નવા કેસ મળ્યા છે, આ આંકડો છેલ્લા 231 દિવસમાં સૌથી ઓછો છે. એક તરફ, નવા કેસોમાં આટલો મોટો ઘટાડો થયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 19,470 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આ સાથે, એક્ટીવ કેસોની સંખ્યા પણ 1,83,118 ના સ્તરે આવી ગઈ છે, જે 227 દિવસમાં સૌથી ઓછી છે.

દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 40 લાખ 94 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 52 હજાર 454 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 58 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટીવ કેસોની સંખ્યા બે લાખથી ઓછી થઈ ગઈ છે. કુલ 1,83, 118 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : Capt Amarinder Singhની મોટી જાહેરાત, નવેમ્બરમાં બનાવશે પોતાની પાર્ટી, જાણો કોની સાથે ગઠબંધન કરશે

આ પણ વાંચો : Uttarakhand Flood: ઉત્તરાખંડમાં અત્યાર સુધી 34 લોકોના મૃત્યુ, સૌથી વધુ નૈનીતાલમાં લોકોએ ગુમાવ્યો જીવ, જાણો તમામ વિગતો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">