AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Capt Amarinder Singhની મોટી જાહેરાત, નવેમ્બરમાં બનાવશે પોતાની પાર્ટી, જાણો કોની સાથે ગઠબંધન કરશે

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમની આગામી રાજકીય કારકિર્દી અંગે ચિત્ર સ્પષ્ટ કર્યું છે. નવેમ્બરમાં કેપ્ટન નવી ટીમ બનાવશે.

Capt Amarinder Singhની મોટી જાહેરાત, નવેમ્બરમાં બનાવશે પોતાની પાર્ટી, જાણો કોની સાથે ગઠબંધન કરશે
Capt Amarinder Singh To Announce New Political Party In November
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:05 PM
Share

PUNJAB : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Capt Amarinder Singh) મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત સ્સાથે જ તેમણે મંગળવારે ભાજપમાં જોડાવાની અટકળોનો અંત લાવ્યો અને સ્પષતા કરી કે તેઓ નવેમ્બરમાં પોતાની પાર્ટીની જાહેરાત કરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વરિષ્ઠ નેતાઓને પ્રાધાન્ય આપશે જેઓ પોતાના પક્ષથી અલગ થઈ ગયા છે.

કોની સાથે કરશે ગઠબંધન ? તેમણે એમ પણ કહ્યું છે કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ (Congress) સિવાયના કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવાનો વિકલ્પ ખુલ્લો રાખશે. જો ભાજપ, અકાલી દળ અને અન્ય પક્ષોના નેતાઓ તેમના પક્ષમાં જોડાશે, તો આ રીતે એક નવું રાજકીય મંચ રાજ્યના લોકો માટે એક મજબૂત વિકલ્પ તરીકે રજૂ થશે, જે પંજાબને પણ નવી દિશા આપી શકશે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી હતી કે કેપ્ટન ભાજપ (BJP)માં જોડાઈ શકે છે. આ અટકળોને વધુ મજબૂતી મળી જ્યારે કેપ્ટને દિલ્હીની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) સહિત ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી.

ચૂંટણી પહેલા અને પછી અન્ય પક્ષો સાથે ગઠબંધન કરશે મંગળવારે કેપ્ટન તરફથી ભાજપ સાથે ગઠબંધનના સંકેતોએ ફરીથી નવા સમીકરણો પર ચર્ચા શરૂ કરી. કેપ્ટનનું કહેવું છે કે 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ તેમનો પક્ષ રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય રહેશે. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી નજીક આવતા જ નવા પક્ષના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવશે. અન્ય પક્ષો સાથે ગઠબંધન અંગે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આવું ગઠબંધન ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી પણ થઇ શકે છે.

કૃષિ કાયદાઓનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે: કેપ્ટન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ મંગળવારે બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. જોકે, અગાઉની મુલાકાતની જેમ આ વખતે પણ તેમની મુલાકાતને વ્યક્તિગત મુલાકાત તરીકે વર્ણવવામાં આવી રહી છે, પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કેપ્ટને ત્રણ કૃષિ કાયદાઓનો ઉકેલ ટૂંક સમયમાં મળી જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ પંજાબના રાજકારણમાં નવી અટકળો ઉભી થઇ છે. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ છેલ્લા એક મહિનામાં કેપ્ટનની દિલ્હીની આ ત્રીજી મુલાકાત છે.

આ પણ વાંચો : Uttarakhand Flood: ઉત્તરાખંડમાં અત્યાર સુધી 34 લોકોના મૃત્યુ, સૌથી વધુ નૈનીતાલમાં લોકોએ ગુમાવ્યો જીવ, જાણો તમામ વિગતો

આ પણ વાંચો : PM MODIએ કહ્યું, “ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નાગરિકોના મૃત્યુ થવાથી વ્યથિત છું, સૌની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું”

Follow Us
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">