AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Cases in India: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,421 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 16,000ની નજીક

ભારતે અત્યાર સુધીમાં 78.69 કરોડથી વધુ સેમ્પલનું પરીક્ષણ કર્યું છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,24,80,436 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધાયો છે.

Corona Cases in India: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,421 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 16,000ની નજીક
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 11:32 AM
Share

ભારતમાં કોરોના (Covid-19)ની ઝડપ ધીમી પડી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,421 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત (Corona Positive) લોકોની સંખ્યા વધીને 4,30,19,453 થઈ ગઈ છે. હાલમાં ભારતમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 16,187 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 149 લોકોના મોત થયા છે, જે પછી ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,21,004 થઈ ગઈ છે. આ સિવાય રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19માંથી સ્વસ્થ થવાનો રેટ 98.75 ટકા છે.

દેશમાં સક્રિય કેસોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક ચેપ દર 0.23 ટકા નોંધાયો હતો, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.27 ટકા છે. છેલ્લા 24 કલાકમાં ચેપની પુષ્ટિ કરવા માટે કોવિડ-19 માટે કુલ 6,20,251 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતે અત્યાર સુધીમાં 78.69 કરોડથી વધુ સેમ્પલનું પરીક્ષણ કર્યું છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,24,80,436 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધાયો છે. દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 183.20 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

જાણો દેશમાં ક્યારે થયા હતા 1 કરોડ કેસ

નોંધનીય છે કે 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020ના રોજ દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા.

કોરોનાથી મૃત્યુ પામેલા 70 ટકાથી વધુ દર્દીઓ અન્ય રોગોથી પીડિત હતા

ગયા વર્ષે 4 મેના રોજ સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ તે 30 મિલિયનને વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાઈરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે તેની વેબસાઈટ પર કહ્યું કે તેના આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેળ ખાય છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના PM ઈમરાન ખાન આજે આપશે રાજીનામુ ? આ એક બદલાવથી મળી રહ્યા છે સંકેત

આ પણ વાંચો: Mann Ki Baat Live : ચૈત્રી નવરાત્રી, પરીક્ષા, જળ સંચય સહીતના મુદ્દા પર વડાપ્રધાન મોદી કરી શકે છે મન કી બાત

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">