AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal Corona Positive: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી

લ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેણે પોતાને ઘરે આઇસોલેટ કરી દીધા છે.

Arvind Kejriwal Corona Positive: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી
Arvind Kejriwal, Chief Minister of Delhi (File photo)
Charmi Katira
| Edited By: | Updated on: Jan 04, 2022 | 6:04 PM
Share

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ થયા છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર આ માહિતી આપી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્વિટર પર કેજરીવાલે કહ્યું કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ ઘરે આઇસોલેટ છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરવા અને કોવિડ-19 માટે ટેસ્ટ કરાવવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવ્યા છે. તેઓ કૃપા કરીને આઇસોલેટ કરો અને તમારો ટેસ્ટ કરાવો.

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સંક્રમિત થયા પહેલા આ વર્ષે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોમવારે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે પાર્ટીની નવ પરિવર્તન યાત્રાને સંબોધિત કરી હતી.

દિલ્હીમાં ઓમિક્રોનના કેસમાં વધારો

દિલ્હીના મુખ્યમંત્રી પણ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ની સ્થિતિ અંગે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની બેઠકમાં ભાગ લેવાના હતા. તે જ સમયે, ઓમિક્રોન વેરિઅન્ટ આવ્યા પછી છેલ્લા બે અઠવાડિયામાં દિલ્હીમાં COVID-19 કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

દિલ્હીના આરોગ્ય વિભાગના બુલેટિનમાં સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 4,099 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે રાષ્ટ્રીય રાજધાનીમાં પોઝિટિવ દર 6.46 ટકા પર લઈ જાય છે. દિલ્હીમાં સક્રિય કેસ વધીને 10,986 થઈ ગયા છે અને અત્યાર સુધીમાં COVID-19 કેસની કુલ સંખ્યા 14,58,220 થઈ ગઈ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના સંબંધિત કોઈ મૃત્યુ થયું નથી. તમને જણાવી દઈએ કે સીએમ અરવિંદ કેજરીવાલ 30 ડિસેમ્બરથી દિલ્હીની બહાર હતા, તેઓ ગઈકાલે જ પરત ફર્યા છે.

છેલ્લા છેલ્લા પાંચ દિવસમાં કેજરીવાલનો ચૂંટણી પ્રવાસનો છે આ કાર્યક્રમ

30 ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય માર્ચ કરી હતી. 31 ડિસેમ્બરે પટિયાલામાં શાંતિ માર્ચ કાઢવામાં આવી હતી. 1 જાન્યુઆરીએ તેઓ અમૃતસરના રવિદાસ મંદિર ગયા હતા અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 2 જાન્યુઆરીએ લખનૌના સ્મૃતિ ઉપવનમાં એક મોટી રેલીને સંબોધિત કરી. 3 જાન્યુઆરીએ ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક મોટી જનસભાને સંબોધી હતી. સીએમ અરવિંદ કેજરીવાલ 5 જાન્યુઆરીએ ગોવાના રજિસ્ટરમાં એક મોટી ત્રિરંગા યાત્રા કરવાના છે. હવે તે સ્થગિત કરવામાં આવશે.

આ પણ વાંચો : Military Helicopter Crash : ઇઝરાયલમાં હાઇફાના દરિયાકાંઠે મિલ્ટ્રી હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાઇલોટના કરુણ મોત

આ પણ વાંચો  : Happy Birthday Aditya Pancholi : આદિત્ય પંચોલીની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ રહી છે વધુ ચર્ચામાં, જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">