‘હજુ સમાપ્ત નથી થઈ કોરોના મહામારી, આવનારા દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ શકે છે ઉતાર-ચઢાવ’ – અમેરિકન સર્જન વિવેક મૂર્તિનું નિવેદન

યુએસ સર્જન જનરલ વિવેક મૂર્તિએ જણાવ્યું હતું કે, હાલ મને આ વાતની ચિંતા છે કે, યોગ્ય સંસાધનો મેળવવા માટે અમે છેલ્લા બે વર્ષમાં જેટલુ કામ કર્યું છે, આપણે તેમને ધિરાણ આપવું જોઈએ જેથી કરીને તેઓ દેશભરના લોકો માટે ઉપલબ્ધ થઈ શકે.

'હજુ સમાપ્ત નથી થઈ કોરોના મહામારી, આવનારા દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ શકે છે ઉતાર-ચઢાવ' - અમેરિકન સર્જન વિવેક મૂર્તિનું નિવેદન
Health workers doing corona test.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 6:37 AM

ભારતીય-અમેરિકન સર્જન જનરલ વિવેક મૂર્તિએ (Vivek Murthy) રવિવારે ચેતવણી આપી હતી કે કોવિડ-19 મહામારી હજુ પુરી થઈ નથી અને આવતા મહિનાઓમાં કેસમાં વધારો જોવા મળી શકે છે. મૂર્તિએ કોરોના વાયરસ મહામારી (Corona Pandemic)  સામે લડવા માટે ભંડોળની અછત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું, જ્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા બે વર્ષથી શું થઈ રહ્યું છે તો ધ્યાનમાં આવે છે કે, જ્યારે વિશ્વના એક ભાગમાં કેસ વધે છે, ત્યારે વિશ્વના અન્ય ભાગોમાં પણ કેસોમાં વારંવાર વધારો થાય છે. આપણે તેના માટે તૈયાર રહેવું જોઈએ. તમે જાણો છો કે કોવિડ મહામારી સમાપ્ત થઈ નથી.

તેમણે કહ્યું કે,  આગામી મહિનાઓમાં કેસોમાં વધારો અને ઘટાડો થઈ શકે છે. પરંતુ ધ્યેય એ હોવો જોઈએ કે લોકોને હોસ્પિટલમાં દાખલ ન થવું પડે. તેમના જીવનને બચાવવું પડશે અને આમ કરવા માટે આપણી પાસે પહેલા કરતાં વધુ સંસાધનો છે. તેથી આપણું ધ્યાન તૈયારી પર હોવું જોઈએ, ગભરાહટ પર નહીં. મૂર્તિએ જણાવ્યું હતું કે, “અત્યારે મને જે ચિંતા થાય છે તે એ છે કે છેલ્લા બે વર્ષમાં અમે યોગ્ય સંસાધનો મેળવવા માટે કેટલું કામ કર્યું છે. આપણે તેમને ધિરાણ આપવું જોઈએ જેથી કરીને તેઓ દેશભરના લોકો માટે ઉપલબ્ધ હોય.”

બીમાર વ્યક્તિને વધુ જોખમ હોય છે

મૂર્તિએ કહ્યું, ‘ઓમિક્રોન વેરિઅન્ટની છેલ્લી વેવ દરમિયાન, મોટાભાગના લોકોએ તેમનું કોરોના રસીકરણ કરાવ્યું ન હતું. વૃદ્ધાવસ્થા અને સ્થૂળતા જેવા રોગો છે જે વ્યક્તિને વધુ જોખમમાં મૂકે છે. અફસોસની વાત એ છે કે આપણા દેશમાં એવા ઘણા લોકો છે જેઓ સ્થૂળતા અને હ્રદયરોગ જેવી જુની બિમારીઓથી પણ પીડિત છે. આ રોગોએ તેમને વધુ જોખમમાં મૂક્યા છે. આનો અર્થ એ છે કે વસ્તી માટે આપણે કોવિડ -19 સંબંધિત પગલાં લેવા માટે વધુ સાવચેત રહેવું પડશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે દેશભરમાંથી કોરોનાના 1,761 નવા કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 3196 લોકોને રજા આપવામાં આવી છે અને 127 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ હવે વધીને 4,30,07,841 થઈ ગયા છે. જ્યારે, મૃત્યુઆંક વધીને 5,16,479 થયો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં 26,240 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4,24,65,122 લોકો કોરોનાથી સાજા થયા છે.

આ પણ વાંચો :  Corona Vaccination: હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ 8 અઠવાડિયા પછી લઈ શકાશે, NTAGI એ કરી ભલામણ

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">