AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હજુ સમાપ્ત નથી થઈ કોરોના મહામારી, આવનારા દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ શકે છે ઉતાર-ચઢાવ’ – અમેરિકન સર્જન વિવેક મૂર્તિનું નિવેદન

યુએસ સર્જન જનરલ વિવેક મૂર્તિએ જણાવ્યું હતું કે, હાલ મને આ વાતની ચિંતા છે કે, યોગ્ય સંસાધનો મેળવવા માટે અમે છેલ્લા બે વર્ષમાં જેટલુ કામ કર્યું છે, આપણે તેમને ધિરાણ આપવું જોઈએ જેથી કરીને તેઓ દેશભરના લોકો માટે ઉપલબ્ધ થઈ શકે.

'હજુ સમાપ્ત નથી થઈ કોરોના મહામારી, આવનારા દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ શકે છે ઉતાર-ચઢાવ' - અમેરિકન સર્જન વિવેક મૂર્તિનું નિવેદન
Health workers doing corona test.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 6:37 AM
Share

ભારતીય-અમેરિકન સર્જન જનરલ વિવેક મૂર્તિએ (Vivek Murthy) રવિવારે ચેતવણી આપી હતી કે કોવિડ-19 મહામારી હજુ પુરી થઈ નથી અને આવતા મહિનાઓમાં કેસમાં વધારો જોવા મળી શકે છે. મૂર્તિએ કોરોના વાયરસ મહામારી (Corona Pandemic)  સામે લડવા માટે ભંડોળની અછત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું, જ્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા બે વર્ષથી શું થઈ રહ્યું છે તો ધ્યાનમાં આવે છે કે, જ્યારે વિશ્વના એક ભાગમાં કેસ વધે છે, ત્યારે વિશ્વના અન્ય ભાગોમાં પણ કેસોમાં વારંવાર વધારો થાય છે. આપણે તેના માટે તૈયાર રહેવું જોઈએ. તમે જાણો છો કે કોવિડ મહામારી સમાપ્ત થઈ નથી.

તેમણે કહ્યું કે,  આગામી મહિનાઓમાં કેસોમાં વધારો અને ઘટાડો થઈ શકે છે. પરંતુ ધ્યેય એ હોવો જોઈએ કે લોકોને હોસ્પિટલમાં દાખલ ન થવું પડે. તેમના જીવનને બચાવવું પડશે અને આમ કરવા માટે આપણી પાસે પહેલા કરતાં વધુ સંસાધનો છે. તેથી આપણું ધ્યાન તૈયારી પર હોવું જોઈએ, ગભરાહટ પર નહીં. મૂર્તિએ જણાવ્યું હતું કે, “અત્યારે મને જે ચિંતા થાય છે તે એ છે કે છેલ્લા બે વર્ષમાં અમે યોગ્ય સંસાધનો મેળવવા માટે કેટલું કામ કર્યું છે. આપણે તેમને ધિરાણ આપવું જોઈએ જેથી કરીને તેઓ દેશભરના લોકો માટે ઉપલબ્ધ હોય.”

બીમાર વ્યક્તિને વધુ જોખમ હોય છે

મૂર્તિએ કહ્યું, ‘ઓમિક્રોન વેરિઅન્ટની છેલ્લી વેવ દરમિયાન, મોટાભાગના લોકોએ તેમનું કોરોના રસીકરણ કરાવ્યું ન હતું. વૃદ્ધાવસ્થા અને સ્થૂળતા જેવા રોગો છે જે વ્યક્તિને વધુ જોખમમાં મૂકે છે. અફસોસની વાત એ છે કે આપણા દેશમાં એવા ઘણા લોકો છે જેઓ સ્થૂળતા અને હ્રદયરોગ જેવી જુની બિમારીઓથી પણ પીડિત છે. આ રોગોએ તેમને વધુ જોખમમાં મૂક્યા છે. આનો અર્થ એ છે કે વસ્તી માટે આપણે કોવિડ -19 સંબંધિત પગલાં લેવા માટે વધુ સાવચેત રહેવું પડશે.

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે દેશભરમાંથી કોરોનાના 1,761 નવા કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 3196 લોકોને રજા આપવામાં આવી છે અને 127 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ હવે વધીને 4,30,07,841 થઈ ગયા છે. જ્યારે, મૃત્યુઆંક વધીને 5,16,479 થયો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં 26,240 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4,24,65,122 લોકો કોરોનાથી સાજા થયા છે.

આ પણ વાંચો :  Corona Vaccination: હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ 8 અઠવાડિયા પછી લઈ શકાશે, NTAGI એ કરી ભલામણ

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">