Train Accident: 600 યુનિટ રક્તનું દાન કર્યું, પાણીની બોટલનું વિતરણ કર્યું, ઘાયલોની મદદ માટે RSS આગળ આવ્યું
Train accident: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પ્રથમ સ્થળ પર પહોંચ્યા અને NDRF અને અન્ય બચાવ ટીમો સાથે ઉભા રહીને બચાવ કાર્ય હાથ ધર્યું.
Train accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા સંઘના સ્વયંસેવકો પણ ઘાયલોની મદદ માટે પહોંચી રહ્યા છે. મળતી માહિતી મુજબ સ્વયંસેવકોએ અત્યાર સુધીમાં લગભગ 600 યુનિટ રક્તદાન કર્યું છે. રિપોર્ટ અનુસાર, દુર્ઘટના બાદ આરએસએસના સ્વયંસેવકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. તે NDRF અને અન્ય બચાવ ટીમો સાથે ખભે ખભા મિલાવીને બચાવ કાર્યમાં લાગેલા છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
આરએસએસ પ્રાંત પ્રચાર પ્રમુખ રવિ નારાયણ પાંડાએ ટીવી 9 ભારતવર્ષને જણાવ્યું હતું કે “શરૂઆતમાં માત્ર થોડા જ સંઘ સ્વયંસેવકો આવ્યા હતા, કારણ કે જ્યાં અકસ્માત થયો હતો તેની નજીકના બહનગા ગામમાં સંઘ શાખા હતી. પરંતુ રાત પડતા સુધીમાં લગભગ 250 સ્વયંસેવકો તેમાં સામેલ થઈ ગયા હતા.
સ્વયંસેવકોએ હોસ્પિટલ પહોંચી લોકોને મદદ કરી
તેમણે કહ્યું કે રાહત બચાવમાં કોઈ વિલંબ ન થાય તે માટે સ્વયંસેવકોએ ઓટો, મોટરસાઈકલ દ્વારા તાત્કાલિક અસરથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવાનું શરૂ કર્યું હતું. સંઘના સ્થાનિક સ્વયંસેવક રમેશજી પ્રતિકૂળ સંજોગોમાં બોગીની અંદર ગયા અને આખી રાત ઘાયલોને બહાર કાઢતા રહ્યા અને અન્ય સ્વયંસેવકો તેમને હોસ્પિટલ લઈ જતા રહ્યા.
સંઘ તરફથી મળેલી માહિતી મુજબ 450થી વધુ સ્વયંસેવકો આખી રાત રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. તેમણે NDRF, SDRF અને આર્મીના જવાનોને મદદ કરી. ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલ લઈ જવાની શરૂઆત થયા બાદ સંઘના પદાધિકારીઓએ બલેશ્વર જિલ્લા હોસ્પિટલમાં હાજર રહી સેવાકીય કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. સંઘના અધિકારીઓની દેખરેખ હેઠળ સ્વયંસેવકોએ રક્તદાન કરવાનું શરૂ કર્યું.
300 સ્વયંસેવકોએ 600 યુનિટ રક્તદાન કર્યું હતું
અહીં 300 જેટલા સ્વયંસેવકોએ રક્તદાન કર્યું હતું, જ્યારે આજે સાંજ સુધીમાં લગભગ 600 યુનિટ રક્ત સ્વયંસેવકો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, કેટલાક ઘાયલ મુસાફરોને ભદ્રક જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ અને સોરો ખાતે મેડિકલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પણ સંઘના સ્વયંસેવકોએ ચાર્જ સંભાળ્યો, આ હોસ્પિટલોમાં પણ સ્વયંસેવકોએ રક્તદાન કર્યું અને રક્તની વ્યવસ્થા કરી.
ઘટના સ્થળેથી હોસ્પિટલ સુધી સ્વયંસેવકો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા હતા. મૃતદેહોને બહાર કાઢી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવા, લોહી અને ભોજન અને પાણીની વ્યવસ્થા પણ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી. આટલું જ નહીં, સ્વયંસેવકોએ અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા લોકોના સ્વજનોને તેમના મોબાઈલ દ્વારા વાત પણ કરાવી. બાલાસોરના આ રાહત અને બચાવ કાર્યમાં એબીવીપી, હિંદુ જાગરણ મંચ, બજરંગ દળ, સેવા ભારતી, સંઘની સહાયક સંસ્થાઓના સેંકડો કાર્યકરો સતત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા હતા.
સંઘ સેવકો મેડિકલ કોલેજમાં સક્રિય રહ્યા
પ્રાંત પ્રચાર પ્રમુખ રવિ પાંડાએ tv9 ભારતવર્ષને જણાવ્યું કે 2 જૂનના રોજ સાંજે 7.30 વાગ્યાથી અમારા સ્વયંસેવકો આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારોને મદદ કરવામાં સતત રોકાયેલા હતા.તેમજ SCB મેડિકલ કોલેજ, કટક અને સ્વયંસેવકો સાથે સંકળાયેલા હતા. સંઘનો સેવા વિભાગ હોસ્પિટલમાં પણ સક્રિય રહ્યો. આ ઇજાગ્રસ્ત મુસાફરોને એટેન્ડન્ટ પૂરા પાડવાની સાથે, સ્વયંસેવકો તેમના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને જાણ કરવાના કામમાં પણ રોકાયેલા હતા.