AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP: પ્રિયંકા ગાંધીએ અયોધ્યા મંદિર માટે જમીન ખરીદી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- દલિતોની જમીન પર કરવામાં આવ્યો કબજો

પ્રિયંકા ગાંધીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરની આસપાસ જમીન ખરીદીને લઈને રાજ્યની યોગી સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં દલિતોની જમીનો ખરીદવામાં આવી છે અને આ ભ્રષ્ટાચાર છે.

UP: પ્રિયંકા ગાંધીએ અયોધ્યા મંદિર માટે જમીન ખરીદી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- દલિતોની જમીન પર કરવામાં આવ્યો કબજો
Priyanka Gandhi (Photo - PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 2:06 PM
Share

કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) અયોધ્યામાં શ્રી રામ મંદિરની (Shri Ram Mandir) આસપાસ જમીન ખરીદીને લઈને રાજ્યની યોગી સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં દલિતોની જમીનો ખરીદવામાં આવી છે અને આ ભ્રષ્ટાચાર છે. કારણ કે ભાજપ શ્રી રામના નામ પર લૂંટ ચલાવી રહી છે. તેમણે કહ્યું કે 2017માં કોઈએ બે કરોડમાં ખરીદી હતી અને ત્યારબાદ 8 કરોડની કિંમતની 10 હજાર ચોરસ મીટર જમીન ટ્રસ્ટને વેચી દીધી હતી અને 12 હજાર ચોરસ મીટર રવિ મોહન તિવારીએ ખરીદી હતી.

બીજી તરફ સંઘના પદાધિકારી અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર હૃષીકેશ ઉપાધ્યાય તેના સાક્ષી છે. રવિ મોહન તિવારીએ 10.50 કરોડમાં વેચેલી જમીનના સાક્ષીઓ પણ સંઘના અધિકારીઓ છે. આ કૌભાંડ નથી તો શું છે? આ મંદિર સુપ્રીમ કોર્ટના આદેશ પર બની રહ્યું છે અને સુપ્રીમ કોર્ટના અધિકારીઓએ તેની તપાસ કરવી જોઈએ. યોગી સરકારના તમામ અધિકારીઓ લૂંટમાં લાગેલા છે. કેટલી જમીન છે અને કેટલું કૌભાંડ છે તે કોઈને ખબર નથી. ભગવાન રામના પર ભાજપ ભ્રષ્ટાચાર કરી રહી છે.

જમીન વેચવાના મામલે મેયર અને સંઘના અધિકારીઓ સાક્ષી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શ્રી રામ મંદિર માટે ખરીદેલી જમીનમાં એક સાક્ષી અયોધ્યાના મેયર છે અને બીજા સંઘનો પદાધિકારી છે. અયોધ્યામાં જમીનોની લૂંટ ચાલી રહી છે અને યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અને રાજ્યની તેમની સરકાર શ્રી રામ મંદિર માટે લૂંટમાં વ્યસ્ત છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ.

જમીન ખરીદવામાં કૌભાંડ થયું છે કોંગ્રેસ મહાસચિવે આક્ષેપ કર્યો છે કે કરોડોની કિંમતની જમીન રામ મંદિર નિર્માણ ટ્રસ્ટને રૂ. 26.50 કરોડમાં વેચવામાં આવી હતી. તેમણે કહ્યું કે 15 નવેમ્બર, 2017ના રોજ, હવેલી અવધ, બાગ બિજૈસી, અયોધ્યાની 2.334 હેક્ટર જમીન મહઝૂઝ આલમ વગેરેએ ભાગેડુ ગુનેગાર હરીશ કુમાર પાઠક ઉર્ફે બાબા હરિદાસ અને તેની પત્ની શ્રીમતી કુસુમ પાઠકને 2 કરોડમાં વેચી દીધી હતી અને એ જ જમીન પાછળથી કરોડોમાં વેચાઈ. આ એક સંપૂર્ણ કૌભાંડ છે અને તેની તપાસ થવી જોઈએ. આ કૌભાંડની ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ.

પ્રિયંકાએ ટીવી 9ના સવાલનો જવાબ આપ્યો બીજી તરફ ટીવી 9ના પ્રશ્ન પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટના પિતાએ પણ એક કિલોમીટરની ત્રિજ્યામાં જમીન ખરીદી છે તો જિલ્લા મેજિસ્ટ્રેટ તેની તપાસ કેવી રીતે કરાવી શકશે. તેથી તેની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટના બદલે સુપ્રીમ કોર્ટ દ્વારા થવી જોઈએ. તેમણે કહ્યું કે માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટના પિતાએ જ નહીં, ડીઆઈજીએ પણ તેને ખરીદ્યું છે અને ત્યાં બધા લૂંટી રહ્યા છે.

આ પણ વાંચો : Omicron: કોવિડ-19ના પહેલા વેરિએન્ટ કરતા ઓમિક્રોનનું જોખમ ઓછું, દક્ષિણ આફ્રિકાના નવા અભ્યાસમાં થયો ખુલાસો

આ પણ વાંચો : ભારતે રસીકરણમાં સીમાચિહ્ન હાંસલ કર્યું, દેશની 60 ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થયું, આરોગ્ય પ્રધાને આપ્યા અભિનંદન

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
g clip-path="url(#clip0_868_265)">