રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર, ‘રોજ લોકશાહીની થઈ રહી છે હત્યા, બોલવા પર ધરપકડ કરી રહ્યા છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આજે દેશમાં લોકશાહી નથી અને દરરોજ તેની હત્યા થઈ રહી છે.

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર, 'રોજ લોકશાહીની થઈ રહી છે હત્યા, બોલવા પર ધરપકડ કરી રહ્યા છે
રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર, 'રોજ લોકશાહીની થઈ રહી છે હત્યાImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 10:52 AM

Rahul Gandhi : કોંગ્રેસે  (Congress)શુક્રવારે મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર જીએસટીમાં વધારા સામે જોરદાર વિરોધ પ્રદર્શનની યોજના બનાવી છે. પ્રદર્શનના ભાગરૂપે કોંગ્રેસ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે અને વડાપ્રધાનના નિવાસસ્થાને ઘેરાવ કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આજે દેશમાં લોકશાહી નથી અને રોજેરોજ તેની હત્યા થઈ રહી છે. રાહુલે કહ્યું કે, અત્યારે મોંઘવારી અને બેરોજગારીની વાત કરવાવાળું કોઈ નથી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દેશમાં 70 વર્ષની લોકશાહી 8 વર્ષમાં પૂરી થઈ ગઈ છે. અત્યારે દેશમાં ચાર લોકોની સરમુખત્યારશાહી ચાલી રહી છે. સંસદમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી નથી , સાથે જ મોંઘવારી અને બેરોજગારી પર પણ બોલવા દેવામાં આવતું નથી. રાહુલે વધુમાં કહ્યું કે અમે સંસ્થાઓને સ્વતંત્ર રાખતા હતા. જે કોઈ કેન્દ્ર વિરૂદ્ધ બોલે છે તો તેની સામે સીબીઆઈ અને ઈડી લગાવવામાં આવે છે. તેમના મતે દરેક સંસ્થામાં RSSનો માણસ બેઠા છે અને બંધારણીય સંસ્થાઓ અત્યારે RSSના કબ્જામાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બીજી તરફ શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી ન હતી. દિલ્હી પોલીસે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં શુક્રવારે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે નવી દિલ્હી જિલ્લામાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો આપ્યા છે.

દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદર્શનની પરમિશન આપી નથી

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “વિશ્વસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત થયું છે કે તમે શુક્રવારે તમારા સમર્થકો સાથે ધરણા કરવા જઈ રહ્યા છો. આ સંદર્ભમાં, તમને જાણ કરવામાં આવે છે કે જંતર-મંતર સિવાય, નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ છે. સુરક્ષા/કાયદો અને વ્યવસ્થા/ટ્રાફિકના કારણો અને હાલની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, શુક્રવારે નવી દિલ્હી જિલ્લાના વિસ્તારમાં કોઈ વિરોધ/ધરણા/ને મંજૂરી આપી શકાતી નથી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">