AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા બાદ ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું- પેટાચૂંટણીના પરિણામોને કારણે લીધો નિર્ણય

30 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓએ 29 વિધાનસભા બેઠકોમાંથી 14 બેઠકો જીતી હતી. જેનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું.

પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા બાદ ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું- પેટાચૂંટણીના પરિણામોને કારણે લીધો નિર્ણય
P Chidambaram - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 4:30 PM
Share

કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે (P Chidambaram) ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ ભાજપને આંચકો આપ્યો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. તેણે પોતાના ટ્વીટમાં આ વાત કહી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 5 અને 10 રૂપિયાનો રેકોર્ડ ઘટાડો કર્યો છે. જેથી તેમની ઊંચી કિંમત નીચે લાવી શકાય.

આ અંગે ચિદમ્બરમે કહ્યું કે સરકારનું આ પગલું કોંગ્રેસના આરોપની પુષ્ટિ કરે છે, જે કહે છે કે ટેક્સના ઊંચા દરો (પેટ્રોલ ડીઝલની કિંમત)ને કારણે ઈંધણના ભાવ વધારે છે. તેમણે કહ્યું, ‘અમે આરોપ લગાવીએ છીએ કે ઈંધણ પરના ઊંચા ટેક્સ પાછળનું કારણ કેન્દ્ર સરકારનો લોભ છે.’ તેના કારણે જ આવું થયું છે. કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો! આ અમારા આક્ષેપને સમર્થન આપે છે કે ઇંધણના ભાવ મુખ્યત્વે ઊંચા કરને કારણે ઊંચા છે.

પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કર્યો હતો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) પણ સરકારના આ પગલાને ભયનું પરિણામ ગણાવ્યું છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘ये दिल से नहीं डर से निकला फैसला है. સરકારની લુંટની વસૂલાતનો જવાબ આવનારી ચૂંટણીમાં આપવો પડશે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું, વર્ષ 2021માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 28 અને 26 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરો અને પછી 5 અને 10 રૂપિયા પ્રતિ લિટર ઘટાડો કરી તેને દિવાળીની ભેટ કહો ! મોદીનોમિક્સનું જુમલાનોમિક્સ.

પેટાચૂંટણીમાં કેવું આવ્યું પરિણામ? 30 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓએ 29 વિધાનસભા બેઠકોમાંથી 14 બેઠકો જીતી હતી. જેનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું. કોંગ્રેસે હિમાચલ પ્રદેશની પ્રતિષ્ઠિત મંડી લોકસભા બેઠક સહિત ત્રણેય વિધાનસભા બેઠકો અને આઠ બેઠકો જીતી છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ

આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીની પાઠવી શુભેચ્છા, કહ્યું “પ્રકાશનો આ પર્વ દરેક પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે”

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">