AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીની પાઠવી શુભેચ્છા, કહ્યું “પ્રકાશનો આ પર્વ દરેક પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે”

દિવાળી એ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો મુખ્ય તહેવાર છે. આ દિવસે મા લક્ષ્મી, ભગવાન ગણેશ, દેવી સરસ્વતી, મહાકાળી માતાની પૂજા કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ જનતાને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીની પાઠવી શુભેચ્છા, કહ્યું પ્રકાશનો આ પર્વ દરેક પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે
Sonia Gandhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 4:07 PM
Share

Diwali 2021 : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ કે “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે પ્રકાશનો આ પર્વ દરેક પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને પ્રગતિની તકો લઈને આવે.” ગત વર્ષની જેમ આ વર્ષે પણ દેશમાં કોરોના મહામારી વચ્ચે દિવાળીનો (Diwali Festival) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જો કે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે “દિવાળી આપણને સંદેશ આપે છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય, દીવાનો પ્રકાશ તે અંધકારને દૂર કરવા માટે પૂરતો છે. તેથી જ આ આશાના દીપકની આભા હંમેશા આપણા હદયમાં પ્રજવલિત રાખવી અનિવાર્ય છે. દીપાવલી પર દીવાઓની હારમાળા આપણને અહેસાસ આપે છે કે આપણે સૌ દેશવાસીઓ પરસ્પર પ્રેમ અને સંવાદિતા સાથે એકબીજાના જીવનમાં પ્રકાશ આપી શકીએ છીએ અને પરસ્પર સહયોગથી આપણે અંધકારના અંધકારને દૂર કરી શકીએ છીએ.”

રાહુલ ગાંધીએ પણ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યુ કે,”આવો આપણે સૌ દીપોત્સવના દિવસે પ્રતિજ્ઞા લઈએ કે વિવિધ ભાષા, ધર્મ, સંપ્રદાયના લોકો આ સમગ્ર અને સામૂહિક રીતે આનંદનો તહેવાર ઉજવશે અને અંધકારને દૂર કરનાર આશાનો દીવો પ્રગટાવીશું.” આ સાથે રાહુલ ગાંધીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવીને દેશની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

દિવાળી એ હિન્દુ ધર્મમાં (Hindu Religion) ઉજવવામાં આવતો મુખ્ય તહેવાર છે. આ દિવસે મુખ્યત્વે મા લક્ષ્મી, ભગવાન ગણેશ, દેવી સરસ્વતી, મહાકાળી માતાની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ કાળમાં દિવાળીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ દિવાળીના દિવસે સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેના તમામ દુ:ખ દૂર થઈ જાય છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ શોપિયાંના ગામોમાં છુપાયા આતંકી, સેનાની પણ સખત કાર્યવાહી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">