AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ

ગૃહમંત્રીએ કહ્યું કે દેશને વડાપ્રધાનની આ 'દિવાળી ગિફ્ટ'થી સામાન્ય માણસને તો રાહત મળશે જ, પરંતુ મોંઘવારી પણ ઘટશે. કેન્દ્રએ બુધવારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો.

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ
HM Amit Shah - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 3:14 PM
Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) ગુરુવારે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Narendra Modi) ખૂબ જ સંવેદનશીલ નિર્ણય છે અને તેનાથી સામાન્ય માણસને માત્ર રાહત જ નહીં મળે પરંતુ મોંઘવારી પણ ઘટશે. શાહે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભાજપ શાસિત રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો કરીને લોકોને વધુ રાહત આપવાનું પ્રશંસનીય કામ કર્યું છે.

શાહે ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયાનો ઘટાડો કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા બાદ પણ રાહત આપવામાં આવી છે જે ખૂબ જ સંવેદનશીલ નિર્ણય છે. આ માટે હું મોદીજીનો આભાર માનું છું.

મોંઘવારી પણ ઘટશે ગૃહમંત્રીએ કહ્યું કે દેશને વડાપ્રધાનની આ ‘દિવાળી ગિફ્ટ’થી સામાન્ય માણસને તો રાહત મળશે જ, પરંતુ મોંઘવારી પણ ઘટશે. ઈંધણના રેકોર્ડ ઊંચા છૂટક ભાવથી ગ્રાહકોને રાહત આપવા કેન્દ્રએ બુધવારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. બીજેપી શાસિત કેટલાક રાજ્યો ઉપરાંત, બિહારે પણ વેટના દરમાં ઘટાડો કર્યો છે જ્યાં ભાજપ શાસક ગઠબંધનનો ભાગ છે. તેનાથી ગ્રાહકોને વધુ રાહત મળી છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ ટ્વિટ કર્યું હતું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કર્યું, ‘દિવાળીની પૂર્વસંધ્યાએ, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ડીઝલ અને પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, તેમની કિંમતોમાં અનુક્રમે 10 રૂપિયા અને 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જનતાને મોટી રાહત આપવામાં આવી છે. હું આ નિર્ણયને હૃદયપૂર્વક આવકારું છું.

રાજનાથ સિંહે કહ્યું, મોદીજી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ તો હળવો થશે જ, પરંતુ મોંઘવારી પર અંકુશ લાવવામાં પણ મોટી મદદ સાબિત થશે. આ નિર્ણયની અર્થવ્યવસ્થા પર પણ સકારાત્મક અસર પડશે. જનહિતમાં લીધેલા આ સાહસિક નિર્ણય બદલ વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર.

આ પણ વાંચો : Diwali 2021 : PM મોદીએ ડયુટી દરમિયાન જીવ ગુમાવનારા જવાનોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- નૌશેરાના સિંહોએ હંમેશા આપ્યો છે જડબાતોડ જવાબ

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરઃ શોપિયાંના ગામોમાં છુપાયા આતંકી, સેનાની પણ સખત કાર્યવાહી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">