કોમેડિયન મુનવ્વર ફારૂકીનો શો દિલ્હીમાં નહીં થાય, પોલીસને બીક કે વાતાવરણ બગડી શકે છે
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને રવિવારે દિલ્હીમાં યોજાનારા ફારૂકીના શોને રદ કરવાની માંગ કરી હતી.
સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી(Stand-up comedian Munwar Farooqui) નો દિલ્હીમાં શો રદ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે (Delhi Police) ફારૂકીને તેમનો શો કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ મામલામાં વિશ્વ હિંદુ પરિષદે (VHP)દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને શો રદ કરવાની માંગ કરી હતી. મુનવ્વર ફારૂકીનો શો 28 ઓગસ્ટે એટલે કે રવિવારે થવાનો હતો. કાઉન્સિલે તેના પત્રમાં કહ્યું કે આ શોને તાત્કાલિક રદ કરવામાં આવે અને જો તેમ કરવામાં નહીં આવે તો તેની સામે વિરોધ કરવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને રવિવારે દિલ્હીમાં યોજાનારા ફારૂકીના શોને રદ કરવાની માંગ કરી હતી. આ પછી, દિલ્હી પોલીસની લાઇસન્સિંગ યુનિટે ફારૂકીને તેનો શો કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો. આ સંદર્ભમાં, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે યુનિટને એક રિપોર્ટ લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે “મુનવ્વર ફારૂકીના શોથી વિસ્તારની સાંપ્રદાયિક સૌહાર્દને અસર થશે”.
Licensing unit of Delhi police rejects permission to stand-up comedian Munawar Faruqui to perform his show scheduled for August 28th in Delhi
This comes after the central district police wrote a report to the unit stating that “the show will affect communal harmony in the area.” pic.twitter.com/tMPvvb6C2T
— ANI (@ANI) August 27, 2022
VHPએ પત્ર લખીને આક્ષેપ કર્યો છે
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જેસીપી (લાઈસન્સિંગ યુનિટ) ઓપી મિશ્રાએ પુષ્ટિ કરી કે સ્થાનિક (મધ્ય) જિલ્લા પોલીસ તરફથી રિપોર્ટ મળ્યા બાદ પરવાનગી રદ કરવામાં આવી છે. લાયસન્સિંગ બ્રાન્ચે 23 ઓગસ્ટે અરજદાર ગુરસિમાર સિંહ રાયતને કેદારનાથ સાહની ઓડિટોરિયમમાં ફારૂકીનો કોમેડી શો આયોજિત કરવાની મંજૂરી આપી હતી, જે 28 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યાથી નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના દિલ્હી અધ્યક્ષ સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ 25 ઓગસ્ટે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં VHPએ આરોપ લગાવ્યો છે કે ફારૂકી તેના કોમેડી શોમાં હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવે છે. સૂત્રોએ માહિતી આપી હતી કે ગુપ્તા શુક્રવારે મધ્ય જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને પણ મળ્યા હતા અને કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.