Coal Crisis: દેશ ભરમાં કોલસાની અછતને કારણે વીજળી ઉત્પાદનમાં ભારે સંકટ આવી રહ્યું છે. જેને લઈને કેન્દ્ર સરકારે (Central Government of India) શક્ય તમામ પ્રયાસો હાથ ધર્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે કોલસાના ઉત્પાદનમાં કોઈ જ કમી નહીં રહે. વિશેષમાં જણાવ્યુ હતું કે સંકટની સૌથી ખરાબ સમય પસાર થઈ ચૂક્યો છે અને વીજળીને લઈને હવે કોઈ જ ચિંતાજનક સ્થિતિ બનવાની નથી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોલ ઈન્ડિયા (Coal India) એ છેલ્લા 4 દિવસમાં 1.57 મિલિયન ટન થી 1.94 મિલિયન ટન પ્રતિ દિવસનું ઉત્પાદન (production) વધારી દીધું છે અને હજુ પણ આ આંકડાઓ વધારી દેવામાં આવશે. આવતા સપ્તાહ સુધીમાં આને 2 મિલિયન ટન પ્રતિ દિવસ પહોચવાની આશાઓ રાખવામા આવી રહી છે.
અમુક પાવર પ્લાન્ટમાં સ્ટોકની કમી જે ઇમ્પોર્ટટેડ કોલસાને કારણે નિર્ભર હતા તે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમતોના ત્રણ ગણા હોવાથી તેને આયાત કરવાનું ઓછું કરી દીધું હતું અને તેની આપૂર્તિ માટે કેન્દ્ર પર જોર વધારી દીધું હતું.
એક મર્યાદાથી વધુ કોલસનો સ્ટોક નથી રાખી શકાતો સૂત્રો તરફથી જાણવા મળતી વિગત મુજબ, કોલ ઈન્ડિયા પાસે એક ચોક્કસ મર્યાદાથી વધુ સ્ટોક રાખી શકાતો ન હતો કારણ કે હંમેશા આગ લાગવાનો ડર રહેતો હતો. એટલા માટે થઈને રાજ્યોએ પોતાનો સ્ટોક ઉપાડીને સ્થાનિક સ્ટાર પર સ્ટોક કરી લેવો જોઈતો હતો. રિમાઇન્ડર આપવા છતાં પણ આવું થયું નહીં, અને જ્યારે જવાબ માંગવામાં આવ્યા ત્યારે રાજ્યો પ્રતિક્રિયા આપવામાં નિષ્ફળ રહયા હતા.
રાજ્યોને લગભગ 21000 કરોડનું કોલ ઈન્ડિયાને ચૂકવવાનું બાકી છે. મહારાષ્ટ્રને 2600 કરોડ, તમિલનાડુને 1100 કરોડ, બંગાળને 2000 કરોડ, દિલ્હીને 278 કરોડ, પંજાબને 1200 કરોડ, મધ્યપ્રદેશને 1000 કરોડ અને કર્ણાટકને 23 કરોડ રૂપિયા આપવાના બાકી છે.
ઉર્જા સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું આ સાથે જ દેશમાં વીજળીની કટોકટી વચ્ચે રેલવેએ પણ મોટું પગલું ભર્યું છે. હવે પાવર પ્લાન્ટમાં કોલસો પહોંચાડવા માટે ટ્રેનો 24 કલાક ચાલે છે. રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરએ કોલસાની આ અછતને કટોકટી જાહેર કરી છે. તમામ ઝોનલ રેલવેના પ્રિન્સિપાલ ચીફ ઓપરેટિંગ મેનેજરોને ચોવીસ કલાક ઓપરેશનલ કંટ્રોલ રૂમ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Aryan Khan Drugs Case: આર્યન ખાનને જામીન મળશે કે નહીં ! અરજી પર આજે સુનાવણી, NCB વિરોધ કરશે
આ પણ વાંચો: ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા