AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે હરિયાણાની શાળાઓમા ભણાવાશે ભગવદ ગીતા, આગામી સત્રથી ધોરણ 5 અને 7ના વિદ્યાર્થીઓ વાંચશે ગીતાના શ્લોક

હરિયાણા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે યુવાનોએ ગીતાનો સાર પોતાના જીવનમાં આત્મસાત કરવો જોઈએ કારણ કે આ પવિત્ર ગ્રંથનો સંદેશ માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ આપણા બધા માટે આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સત્રથી તેને શાળાઓમાં ભણાવવાનું ફરજિયાત કરવામાં આવશે.

હવે હરિયાણાની શાળાઓમા ભણાવાશે ભગવદ ગીતા, આગામી સત્રથી ધોરણ 5 અને 7ના વિદ્યાર્થીઓ વાંચશે ગીતાના શ્લોક
Bhagavad Gita
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 7:25 AM
Share

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ( CM Manohar Lal Khattar ) શનિવારે કહ્યું કે આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના ‘શ્લોક’ પાઠ કરવાનું શીખવવામાં આવશે. અહીં એક સત્તાવાર અખબારી યાદી મુજબ, મુખ્યમંત્રીએ કુરુક્ષેત્રમાં (Kurukshetra) ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં (International Gita Festival) આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ (Speaker of the Lok Sabha) ઓમ બિરલા (Om Birla) પણ હાજર હતા. ગુરુગ્રામમાં ( Gurugram) ચાલી રહેલા નમાઝ વિવાદ વચ્ચે હરિયાણા સરકારના (Haryana Government ) આ નિર્ણય પર વિવાદ થઈ શકે છે. આ જાહેરાત બાબતે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે અન્ય ધર્મના બાળકો માટે ભગવદ ગીતા વાંચવી ફરજિયાત હશે કે કેમ ?

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવના ભાગરૂપે ગીતા જ્ઞાન સંસ્થાનમ અને કુરુક્ષેત્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત સેમિનારમાં ખટ્ટરે કહ્યું કે ગીતા સંબંધિત પુસ્તકો ધોરણ 5 અને 7 ના અભ્યાસક્રમનો ભાગ હશે. મુખ્યમંત્રીએ કહ્યું કે યુવાનોએ ગીતાનો સાર પોતાના જીવનમાં આત્મસાત કરવો જોઈએ કારણ કે આ પવિત્ર ગ્રંથમાં સંદેશ માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ આપણા સૌ માટે આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વાર્ષિક આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવને મોટા પાયે લેવા માટે આગામી વર્ષથી ગીતા જયંતિ સમિતિની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યોતિસરમાં ‘ગીતસ્થલી’ ખાતે બે એકર જમીન પર 205 કરોડ રૂપિયાના ખર્ચે મહાભારત થીમ પર એક મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. ખટ્ટરે કહ્યું કે રામલીલાની તર્જ પર આગામી વર્ષથી આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ દરમિયાન કૃષ્ણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવશે.

ખુલ્લામાં નમાજ પઢવા સામે વાંધો હતો અગાઉ, સીએમ મનોહર લાલ ખટ્ટરે ગુરુગ્રામમાં જાહેર સ્થળોએ યોજાતી નમાઝને લઈને કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે હવેથી શહેરોમાં જાહેર સ્થળોએ નમાઝ પઢવા નહીં દેવાય. સીએમ ખટ્ટરે સ્પષ્ટ કહ્યું છે કે ખુલ્લામાં નમાજ ન પઢવી જોઈએ. જો કોઈ તેમની જગ્યાએ નમાઝ પઢે છે, લખાણ વાંચે છે, તો તેમાં અમને કોઈ વાંધો નથી. આવા કાર્યક્રમો ખુલ્લામાં ન યોજવા જોઈએ. ખુલ્લામાં નમાઝ પઢવાની આ પ્રથાને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારની નમાજ રોડ ઉપર પઢવાના મુદ્દાને લઈને છેલ્લા ત્રણ મહિનાથી બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

આ પહેલા ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ સોમવારે કહ્યું હતું કે મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકોની એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે નમાઝનો વિરોધ નહીં થાય. નિર્ણય લેવામાં આવ્યો કે હવે જાહેર સ્થળોએ નમાઝ પઢવામાં નહી આવે. શુક્રવારની નમાજ 12 મસ્જિદોમાં થશે. 6 જાહેર સ્થળોએ નમાઝ અદા કરવા માટે ભાડું ચૂકવવું પડશે. વકફ બોર્ડની જમીન મળતાની સાથે જ નિયત કરેલી 6 જગ્યાએ નમાઝ પઢવામાં આવશે.

બંને પક્ષો સંમત થયા ગુરુગ્રામમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલ ખુલ્લામા પઢવામાં આવતી નમાઝના વિવાદનો અંત આવતો જણાઈ રહ્યો છે. હવે ગુરુગ્રામના જિલ્લા ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને બંને પક્ષો પરસ્પર સમજૂતી પર પહોંચી ગયા છે. સેક્ટર-37, સેક્ટર-47 અને સરહૌલ ગામ જેવા વિવાદિત સ્થળોએ નમાઝ અદા કરવામાં આવશે નહીં. આ નિર્ણયને મુસ્લિમ સમુદાયે પણ આવકાર્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને સંયુક્ત હિન્દુ સંઘર્ષ સમિતિના સભ્યો સાથે થયેલા આ કરાર પર મુસ્લિમ સમાજે સંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે કે ગુરુગ્રામમાં નમાઝનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તે બિલકુલ ખોટું છે. મુસ્લિમ સમુદાયને નમાઝ અદા કરવા માટે ક્યારેય રોકવામાં આવ્યા ન હતા.

આ પણ વાંચોઃ

રાહતના સમાચાર : હવે માત્ર બે કલાકમાં ઓમિક્રોનનું પરીક્ષણ થશે, ICMRએ બનાવી 100 % પરિણામ આપતી ટેસ્ટ કીટ

Follow Us
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">