છત્તીસગઢ ચૂંટણી 2023: આવતીકાલે બીજા તબક્કામાં 70 સીટ પર થશે મતદાન, આ દિગ્ગજ નેતાઓ પર રહેશે નજર

આવતીકાલે છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં 70 સીટ પર મતદાન થશે. જેમાં ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના મોટા નેતાઓ મતદાન કરશે. 2018 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ 70 વિધાનસભા સીટમાંથી 51 પર જીત મેળવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર 13 સીટ અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ 4 અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર બે સીટ પર જીત્યા હતા.

છત્તીસગઢ ચૂંટણી 2023: આવતીકાલે બીજા તબક્કામાં 70 સીટ પર થશે મતદાન, આ દિગ્ગજ નેતાઓ પર રહેશે નજર
Chhattisgarh Election 2023Image Credit source: File Image
Follow Us:
| Updated on: Nov 16, 2023 | 5:01 PM

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયુ છે. 7 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 20 સીટ પર મતદાન થઈ ચૂક્યુ છે. આ દરમિયાન 78 ટકા મતદાન થયુ હતુ. હવે બીજા તબક્કામાં બાકીની 70 સીટ પર આવતીકાલે 17 નવેમ્બર, શુક્રવારે મતદાન થશે.

બીજા તબક્કામાં 958 ઉમેદવાર છે, જેમાં 827 પુરૂષ, 130 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર ઉમેદવારના ભવિષ્યનો નિર્ણય થશે. લગભગ 1 કરોડ 63 લાખ મતદાતા 7 નવેમ્બરે મતદાન કરશે, મતદાન માટે 18,833 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસના મોટા ચહેરા

બીજા તબક્કામાં સૌથી મહત્વની પાટન સીટ પર મતદાન થવાનું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પાટન સીટથી ઉમેદવાર છે. બઘેલ સિવાય વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત, નાયબ મુખ્યપ્રધાન ટીએસ સિંહ દેવ, તામ્રધ્વજ સાહૂ અને રવિન્દ્ર ચૌબે સહિત રાજ્યના 8 મંત્રી કોંગ્રેસના મોટા ઉમેદવારોમાં સામેલ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ભાજપના કદાવર નેતા

પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા રમન સિંહની રાજનંદગામ સીટનો નિર્ણય તો પ્રથમ તબક્કામાં જ થઈ ગયો હતો પણ બીજા તબક્કામાં પણ ભાજપના ઘણા દિગ્ગજ નેતા ચૂંટણીના મેદાનમાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અરૂણ સાવ, નારાયણ ચંદેલ મેદાનમાં છે. આ સિવાય મંત્રી રેણુકા સિંહ, સાંસદ ગોમતી સાય પણ 17 નવેમ્બરની ચૂંટણી માટે ભાજપના મુખ્ય ઉમેદવારોમાંથી એક છે.

2018ની ચૂંટણીના પરિણામ

2018 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ 70 વિધાનસભા સીટમાંથી 51 પર જીત મેળવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર 13 સીટ અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ 4 અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર બે સીટ પર જીત્યા હતા.

2018ની ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યની 90 વિધાનસભા સીટમાંથી 68 પર શાનદાર જીત મેળવી હતી. ભાજપ છેલ્લી ચૂંટણીમાં 15 સીટ પર સમેટાઈ ગઈ હતી, જ્યારે જનતા કોંગ્રેસ છત્તીસગઢને 5 અને બસપાને 2 ધારાસભ્યોથી સંતોષ માનવો પડ્યો હતો.

આ પણ વાંચો: વચન આપવામાં કંજૂસાઈ કેવી ? રાજસ્થાનમાં ચૂંટણી જીતવા ભાજપે આપ્યા અવનવા લોભામણા વચનો

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">