આવતીકાલે છત્તીસગઢ-મિઝોરમ વિધાનસભાની ચૂંટણી, જાણો સત્તાનુ સમીકરણ

છત્તીસગઢમાં આવતીકાલ મંગળવાર 7 નવેમ્બરના રોજ હાથ ધરાનાર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જે 20 બેઠકો પર મતદાન થવાનું છે તેમાથી 19 બેઠકો ઉપર ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા. મિઝોરમમાં ભાજપે 40માંથી 23 બેઠકો ઉપર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. 2018ની ચૂંટણીમાં ભાજપ મિઝોરમમાં 38 બેઠકો પર ચૂંટણી લડી હતી. પરંતુ તેના ભાગે માત્ર એક જ બેઠક આવી હતી.

આવતીકાલે છત્તીસગઢ-મિઝોરમ વિધાનસભાની ચૂંટણી, જાણો સત્તાનુ સમીકરણ
છત્તીસગઢ, મિઝોરમ વિધાનસભાની ચૂંટણીImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2023 | 1:12 PM

આવતીકાલ 7 નવેમ્બરને મંગળવારના રોજ છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં વિધાનસભાની 20 બેઠકો માટે અને મિઝોરમમાં 40 બેઠક માટે વિધાનસભાની ચૂંટણી યોજાશે. છત્તીસગઢમાં આવતીકાલ મંગળવારના રોજ યોજાનાર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી જે બેઠકો માટે યોજાનાર છે, તેમાની મોટાભાગની બેઠક કોંગ્રેસ પાસે છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન રમણસિંહનું પણ ભવિષ્ય દાવ પર લાગશે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો માટે 223 ઉમેદવારો ચૂંટણી જંગમાં તેમનુ ભવિષ્ય અજમાવશે. ચૂંટણી લડી રહેલા 223 ઉમેદવારોમાં 198 પુરુષ અને 25 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

છત્તીસગઢમાં આવતીકાલ મંગળવાર 7 નવેમ્બરના રોજ હાથ ધરાનાર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જે 20 બેઠકો પર મતદાન થવાનું છે તેમાથી 19 બેઠકો ઉપર ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા. જ્યારે ભાજપ માત્ર એક જ બેઠક પર જીત મેળવી શક્યું હતુ અને તે પૂર્વ મુખ્ય પ્રધાન રમણસિંહની. કોંગ્રેસે તેની આ પરંપરાગત બેઠકો જાળવી રાખવાનો દાવો કર્યો છે. જો કે કોંગ્રેસ ઉપર આ બેઠકો ફરી પ્રાપ્ત કરવાનું પણ એક દબાણ હશે. છત્તીસગઢની સત્તા પ્રાપ્ત કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ રાષ્ટ્રીય નેતાઓ ઉપર મદાર રાખ્યો હતો. ભાજપ તરફથી પ્રચારની મુખ્ય ધૂરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મુખ્ય હતા. તો કોંગ્રેસ તરફથી પ્રચારની ધૂરા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ લ્લિકાર્જુન ખડગેએ સંભાળી હતી.

મિઝોરમ વિધાનસભાની કુલ 40 બેઠકો છે. આવતીકાલ મંગળવાર તમામે તમામ બેઠકો પર મતદાન હાથ ધરાશે. મિઝોરમની આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. મિઝો નેશનલ ફ્રન્ટે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ સાથે હાથ મેળવ્યાં છે. મિઝો નેશનલ ફ્રન્ટ 40 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. તો સ્થાનિક નેતા લાલદુહોમાની આગેવાનીવાળા જોરમ નેશનાલિસ્ટ પાર્ટી પણ ચૂંટણી લડી રહ્યું છે. આ ઉપરાંત ભાજપે 40માંથી 23 બેઠકો ઉપર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ભાજપ મિઝોરમ વિધાનસભાની ગત ચૂંટણીમાં 40માંથી 38 બેઠકો પર લડી હતી. પરંતુ તેના ભાગે માત્ર એક જ બેઠક આવી હતી. જો કે મિઝોરમમાં ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં એક બેઠક જીતીને મિઝોરમમાં પોતાનું રાજકીય ખાતુ શરુ કર્યું હતું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

છત્તીસગઢ વિધાનસભાની પ્રથમ તબ્બકાની ચૂંટણીમાં 20 બેઠક અને મિઝોરમ વિધાનસભાની 40 બેઠકોની આવતીકાલે યોજાનાર ચૂંટણીનું પરિણામ આગામી 3 ડિસેમ્બરે જાહેર કરાશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">