AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારે ED અને CBIના વડાનો કાર્યકાળ 2 વર્ષથી વધારી 5 વર્ષ કરવાનો લીધો નિર્ણય

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બે વટહુકમો પર હસ્તાક્ષર કર્યા છે. વટહુકમ મુજબ ટોચની એજન્સીઓના વડાઓને બે વર્ષની મુદત પૂરી કર્યા પછી દર વર્ષે ત્રણ વર્ષ સુધી એક્સ્ટેન્શન આપવામાં આવી શકે છે.

કેન્દ્ર સરકારે ED અને CBIના વડાનો કાર્યકાળ 2 વર્ષથી વધારી 5 વર્ષ કરવાનો લીધો નિર્ણય
central government has decided to increase the tenure of the heads of ED and CBI from 2 years to 5 years
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 6:19 PM
Share

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વડાઓનો કાર્યકાળ વર્તમાન બે વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો છે. આ માટે બે અલગ-અલગ વટહુકમ બહાર પાડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને વટહુકમો પર હસ્તાક્ષર કર્યા છે. વટહુકમ મુજબ ટોચની એજન્સીઓના વડાઓને બે વર્ષની મુદત પૂરી કર્યા પછી દર વર્ષે ત્રણ વર્ષ સુધી એક્સ્ટેન્શન આપવામાં આવી શકે છે.

જસ્ટિસ એલએન રાવની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એસ કે મિશ્રાના વિસ્તરણ સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો હતો, જેમાં કાર્યકાળના વિસ્તરણની રૂપરેખા આપવામાં આવી હતી અને કહ્યું હતું કે માત્ર દુર્લભ અને અસાધારણ કેસોમાં જ કરવાની જરૂર છે.

શું છે બંને વટહુકમ?

વટહુકમ અનુસાર જો બે વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી પસંદગી સમિતિ દ્વારા સેવાના વિસ્તરણને મંજૂરી આપવામાં આવે છે તો કાર્યકાળ એક સાથે એક વર્ષ માટે લંબાવી શકાય છે. આ ફેરફાર દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946માં સુધારો કરતા વટહુકમ દ્વારા અમલમાં આવ્યો છે.

અન્ય વટહુકમમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ, 2003માં સુધારો કરીને ED ચીફનો કાર્યકાળ પાંચ વર્ષ વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે આ હેઠળનો કાર્યકાળ વર્ષમાં માત્ર એક જ વાર વધારી શકાય છે.

એસકે મિશ્રા કેસ સંબંધમાં ચુકાદો આપ્યો

જસ્ટિસ એલએન રાવની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એસ કે મિશ્રાના વિસ્તરણ સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો હતો, જેમાં કાર્યકાળના વિસ્તરણની રૂપરેખા આપવામાં આવી હતી અને કહ્યું હતું કે માત્ર દુર્લભ અને અસાધારણ કેસોમાં જ કરવાની જરૂર છે.

તેમનો બે વર્ષનો કાર્યકાળ 17 નવેમ્બરે પૂરો થશે. વિરોધ પક્ષોએ ભૂતકાળમાં ટોચના નેતાઓ અને પૂર્વ મંત્રીઓને નિશાન બનાવીને તપાસની વચ્ચે સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. એસકે મિશ્રા 1984 બેચના ઈન્કમ ટેક્સ કેડરમાં ભારતીય મહેસૂલ સેવાના અધિકારી છે. 60 વર્ષના એસકે મિશ્રા આવકવેરા કેડરમાં ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે અને 19 નવેમ્બર 2018ના રોજ EDના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ભાવનગરમાં મગફળીનું મબલખ ઉત્પાદન, યાર્ડમાં હાલ મગફળી લાવવા પર પ્રતિબંધ મુકાયો

આ પણ વાંચોઃ UP Assembly Election: લખનૌમાં સીએમ યોગીએ કહ્યું- જિન્નાનું સમર્થન કરનારા જ તાલિબાનના સમર્થક

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">