AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સસ્પેન્ડેડ સાંસદોના મામલે કેન્દ્રની પહેલ, 5 રાજકીય પક્ષોની બેઠક બોલાવાઈ, વિપક્ષે કહ્યું- બેઠકમાં સામેલ નહીં થાય

સંસદના શિયાળુ સત્રના (Parliament Winter Session) પ્રથમ દિવસે જે 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં કોંગ્રેસ, TMC, શિવસેના, CPI અને CPI(M)ના સાંસદોનો સમાવેશ થાય છે.

સસ્પેન્ડેડ સાંસદોના મામલે કેન્દ્રની પહેલ, 5 રાજકીય પક્ષોની બેઠક બોલાવાઈ, વિપક્ષે કહ્યું- બેઠકમાં સામેલ નહીં થાય
Suspension Of Rajya Sabha MPs
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:26 AM
Share

Centre Calls Meeting of Political Parties: સોમવારે કેન્દ્ર સરકારે પાંચ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે જેમના સાંસદોને રાજ્યસભામાંથી (Rajya Sabha) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ સાંસદો સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે સતત ધરણા કરી રહ્યા છે. આ મુદ્દે વિપક્ષ અને સરકાર વચ્ચેની મડાગાંઠ પણ વધી ગઈ છે. સંસદના શિયાળુ સત્રના (Parliament Winter Session) પ્રથમ દિવસે જે 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં કોંગ્રેસ, TMC, શિવસેના, CPI અને CPI(M)ના સાંસદોનો સમાવેશ થાય છે.

વિપક્ષે 12 રાજ્યસભા સભ્યોના સસ્પેન્શનના મુદ્દાને ઉકેલવા માટે સરકાર દ્વારા 5 પક્ષોના નેતાઓને મોકલવામાં આવેલા આમંત્રણને ફગાવી દીધું છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે સાંસદોના સસ્પેન્શનના મુદ્દા પર ચર્ચા કરવા અને ઉકેલવા માટે બેઠક બોલાવ્યા બાદ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સોમવારે સવારે 5 રાજકીય પક્ષોના નેતાઓને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.

4 કે 5 પક્ષ એ વિપક્ષ નથી વિપક્ષના સૂત્રોએ જણાવ્યું કે તેઓ સોમવારે સવારે રાજ્યસભાના નેતા પિયુષ ગોયલ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તરફથી કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના અને સીપીઆઈ(એમ)ને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ બેઠક સોમવારે સવારે 10 વાગ્યે બોલાવવામાં આવી છે. પરંતુ વિપક્ષનું કહેવું છે કે 4 કે 5 પાર્ટીઓ આખો વિપક્ષ નથી.

જોશીને લખેલા પત્રમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકારે તમામ વિપક્ષી નેતાઓને બદલે માત્ર 4 થી 5 પક્ષોને આમંત્રણ આપ્યું છે.

ઓગસ્ટમાં આયોજિત છેલ્લા ચોમાસું સત્ર દરમિયાન ખરાબ વર્તન બદલ સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ અગાઉ કહ્યું હતું કે જો તેઓ તેમની ભૂલ માટે માફી માંગે તો સરકાર તેમનું સસ્પેન્શન પાછું ખેંચવા તૈયાર છે. જ્યારે વિપક્ષી નેતાઓએ સરકારની માફી માંગવાની ઓફરને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે માફી નહીં માંગે. વિપક્ષે સસ્પેન્શનને અયોગ્ય ગણાવ્યું છે.

આ પણ વાંચો : દેશમાં ઓમિક્રોનના 151 કેસ, AIIMSના ડિરેક્ટરે કહ્યું- પૂરી તૈયારી કરવી જોઈએ, બ્રિટન જેવી ખરાબ સ્થિતિ ન થવી જોઈએ

આ પણ વાંચો : રાહુલ ગાંધીના ‘હિન્દુ અને હિંદુત્વ’ના નિવેદનો પર પ્રિયંકાએ કહ્યું, બે શબ્દો વચ્ચેનો તફાવત કહેવાનો પ્રયાસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">