AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરી, હવે CISF ભાખરા ડેમને સુરક્ષા પૂરી પાડશે

ભાખરા ડેમના પાણીને લઈને હરિયાણા અને પંજાબ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. ભાખરા ડેમ પર પંજાબ પોલીસ તૈનાત કર્યા પછી કેન્દ્રએ તેની સુરક્ષા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ને સોંપી દીધી છે. CISF ની 296 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા માટે 8.59 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Breaking News : હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરી, હવે CISF ભાખરા ડેમને સુરક્ષા પૂરી પાડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2025 | 8:22 PM
Share

ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના પાણી અંગે હરિયાણા-પંજાબ વિવાદ અંગે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. પંજાબના નાંગલમાં ભાખરા ડેમ પર પંજાબ સરકારે પંજાબ પોલીસ દળ તૈનાત કર્યા બાદ કેન્દ્ર સરકારે કડક પગલાં લીધાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભાખરા ડેમની સુરક્ષા અંગે નવા આદેશો જાહેર કર્યા. આ આદેશ મુજબ, હવે ભાખરા ડેમની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની રહેશે.

કેન્દ્ર સરકારે CISF ની 296 જગ્યાઓને મંજૂરી આપી હતી. કેન્દ્રએ સુરક્ષા માટે 8 કરોડ 59 લાખ રૂપિયાની રકમ ફાળવી હતી. ભાખરા ડેમ પર CISF સુરક્ષા દળોના રહેવા, સંદેશાવ્યવહાર અને પરિવહન અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણા-પંજાબ પાણી વિવાદ દરમિયાન, પંજાબ સરકારે ડેમ પર પંજાબ પોલીસ દળ તૈનાત કર્યું હતું અને ડેમના પાણીના દરવાજાઓનો નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધો હતો. થોડા દિવસ પહેલા જ્યારે બીબીએમબીના ચેરમેન પાણી છોડવા ગયા હતા ત્યારે તેમને બંધક બનાવવામાં આવ્યા હતા.

નીતિ આયોગની બેઠકમાં ભગવંત સિંહ માન BBMBનો મુદ્દો ઉઠાવશે

દરમિયાન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર, આગામી શનિવારે દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના પુનર્ગઠનનો મુદ્દો ઉઠાવશે. બુધવારે વિજય રેલીને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં આ મુદ્દો ઉઠાવશે.

તેમણે કહ્યું કે પાણીનું સ્તર સતત બદલાતું હોવાથી, દર 25 વર્ષે પાણી કરારની સમીક્ષા થવી જોઈએ. ભગવંત સિંહ માનએ જણાવ્યું હતું કે, પંજાબ એક સરહદી રાજ્ય છે. જેણે દેશને ખોરાક પૂરો પાડવા માટે પાણી અને ફળદ્રુપ જમીન જેવા તેના એકમાત્ર ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી લીધો છે.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્યના પાણીના હકનો હિસ્સો છીનવી લેવામાં BBMB એ જે રીતે ભૂમિકા ભજવી છે તે દુર્ભાગ્યપૂર્ણ અને અત્યંત નિંદનીય છે. તેમણે કહ્યું કે હરિયાણાનો હિસ્સો આ વર્ષે માર્ચમાં જ સમાપ્ત થઈ ગયો હતો પરંતુ BBMB કેન્દ્ર સરકાર અને હરિયાણા સરકારના હાથની કઠપૂતળી બની ગયું અને પંજાબ રાજ્યનું પાણી છીનવી લીધું.

BBMB પર 32 કરોડ રૂપિયાનું દેવું

સીએમ માનએ કહ્યું કે આ એ જ બીબીએમબી છે જેણે પંજાબના અસ્તિત્વ માટે જરૂરી પ્રોજેક્ટ્સ માટે પંજાબ પાસેથી 32 કરોડ રૂપિયા લીધા હતા. તેમણે કહ્યું કે પૈસા ક્યારેય રાજ્યને પરત કરવામાં આવ્યા નથી.

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ રકમ વસૂલવા માટે દાવો દાખલ કરશે. ભગવંત સિંહ માને કહ્યું કે BBMB દ્વારા પંજાબ ક્વોટાની 3000 જગ્યાઓ જાણી જોઈને ભરવામાં આવી ન હતી જેથી પાણી પર રાજ્યનો દાવો નબળો પડી શકે.

પંજાબ હરિયાણા સહીત દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">