વડાપ્રધાન મોદીની ખાસ ટીમમાં આ વ્યક્તિને રાખવા માટે બદલી દીધો 60 વર્ષ જુનો નિયમ, જાણો કોણ છે આ વ્યક્તિ
કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ પ્રદીપ કુમાર સિન્હાની સેવા 3 મહિના વધારવા માટે 60 વર્ષ જુના નિયમમાં ફેરફાર કર્યો છે. કેબિનેટ સચિવની નિમણુંક 2 વર્ષના કાર્યકાળ માટે થાય છે. અખિલ ભારતીય સેવા નિયમ 1958 હેઠળ સરકાર કેબિનેટ સચિવની સેવામાં વધારો કરી શકે છે પણ તેમનો કુલ કાર્યકાળ 4 વર્ષથી વધારે ના હોવો જોઈએ. પ્રદિપ કુમાર સિન્હા […]
કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ પ્રદીપ કુમાર સિન્હાની સેવા 3 મહિના વધારવા માટે 60 વર્ષ જુના નિયમમાં ફેરફાર કર્યો છે. કેબિનેટ સચિવની નિમણુંક 2 વર્ષના કાર્યકાળ માટે થાય છે. અખિલ ભારતીય સેવા નિયમ 1958 હેઠળ સરકાર કેબિનેટ સચિવની સેવામાં વધારો કરી શકે છે પણ તેમનો કુલ કાર્યકાળ 4 વર્ષથી વધારે ના હોવો જોઈએ.
પ્રદિપ કુમાર સિન્હા તેમના કાર્યકાળના 4 વર્ષ પુરા કરવા જઈ રહ્યાં છે પણ મોદી સરકારે નિયમ જ બદલી દીધો છે. સુધારેલા નિયમો અનુસાર કેન્દ્ર સરકાર 4 વર્ષના કાર્યકાળ પછી પણ કેબિનેટ સચિવનો કાર્યકાળ વધારેમાં વધારે 3 મહિના સુધીનો વધારી શકે છે. નિયમમાં ફેરફાર કર્યા પછી તરત જ સરકારે પ્રદિપ કુમાર સિન્હાના 3 મહિનાના કાર્યકાળની વધારાની જાહેરાત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કેબિનેટ સચિવ દેશનું સર્વશ્રેષ્ઠ પદ હોય છે. વડાપ્રધાન મોદીની ટીમમાં આ પદ પર કાર્યરત લોકોને ખાસ વ્યવસ્થાઓ મળે છે. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેબિનેટ સચિવની ટીમને જ PMOમાં સૌથી પ્રભાવશાળી ટીમ તરીકે જોવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ત્યારે પ્રદિપ કુમાર સિન્હાની નિવૃતી પછી ટીમમાં ફેરફાર થઈ જતો, જેથી વડાપ્રધાન મોદીએ છેલ્લા મહિને જ બીજીવાર વડાપ્રધાન પદ સંભાળ્યુ છે. તેથી તાત્કાલિક પ્રદિપ કુમાર સિન્હાના કાર્યકાળમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. પહેલા 2017 અને 2018માં 1-1 વર્ષ માટે પ્રદિપ કુમાર સિન્હાના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો હતો. સિન્હાને મે 2015માં 2 વર્ષ માટે કેબિનેટ સચિવ તરીકે નિમણુંક કરવામાં આવ્યા હતા.
3 મહિના પછી પ્રદિપ કુમારની જગ્યાએ કોની નિમણુંક કરવામાં આવશે?
કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગાબા 3 મહિના પછી પ્રદિપકુમાર સિન્હાની જગ્યાએ કેબિનેટ સેક્રેટરી બની શકે છે. ગાબાએ કેન્દ્ર સરકારના ઘણાં વિભાગોમાં કામ કર્યુ છે. બિહાર અને ઝારખંડ સરકારમાં ઘણાં પદો પર રહી ચૂક્યા છે. 31 ઓગસ્ટના રોજ ગૃહ સચિવ તરીકે તેમનો 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થશે. 1987ની બેચના IAS ઓફિસર અને જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવ BVR સુબ્રમણ્યમ ગાબા પછી આ પદ માટે મુખ્ય દાવેદાર છે.
1982 બેચના IAS અધિકારી ગાબાની નિમણુંક જો કોઈ પદ પર કરવામાં આવશે તો તે 2 વર્ષ સુધી તે પદ પર રહેશે અને બીજા 2 વર્ષ માટે તેમનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે. અત્યારે આ પદ પર પ્રદિપ કુમાર સિન્હા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]