AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget Session 2022 Updates: બજેટ સત્રમાં ખડગેનો ભાજપ પર કટાક્ષ, જઈએ તો જઈએ ક્યાં, સરકાર પણ તમારી સરદાર પણ તમારા છે…

Budget Session of parliament 2022: કોંગ્રેસ પહેલાથી જ આ બજેટને ઝીરો ઇવન બજેટ ગણાવ્યું છે. તે જ સમયે, ભાજપ તેને આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ બજેટ ગણાવી રહ્યું છે.

Budget Session 2022 Updates: બજેટ સત્રમાં ખડગેનો ભાજપ પર કટાક્ષ, જઈએ તો જઈએ ક્યાં, સરકાર પણ તમારી સરદાર પણ તમારા છે...
Rajya Sabha Speaker Venkaiah Naidu (Photo - Screenshot Rajya Sabha TV)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 1:56 PM
Share

Budget Session 2022 Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારે સંસદમાં રજૂ કરાયેલ સામાન્ય બજેટ બાદ આજે પહેલીવાર સંસદમાં ચર્ચા થશે. બજેટ સત્રના ત્રીજા દિવસે એટલે કે આજે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની વાત રાખશે. આ દરમિયાન સત્રમાં હોબાળો થવાની સંભાવના છે. કોરોનાના ખતરા વચ્ચે બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન લોકસભા અને રાજ્યસભાની બેઠકો દિવસના અલગ-અલગ સમયે યોજાઈ રહી છે. સત્ર દરમિયાન બંને ગૃહોની બેઠક અલગ-અલગ સમયે 5-5 કલાક ચાલશે.

બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે. વર્ષ 2020નું ચોમાસું આવું પ્રથમ સત્ર હતું જે દરમિયાન કોવિડના કારણે બંને ગૃહોની બેઠકો એક જ દિવસે અલગ-અલગ સમયે યોજાઈ હતી. ગયા વર્ષના બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન પણ આ જ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને જન ફ્રેન્ડલી અને પ્રગતિશીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આનાથી 100 વર્ષની ભયાનક આફત વચ્ચે વિકાસનો નવો આત્મવિશ્વાસ આવ્યો છે. કેન્દ્રીય બજેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રગતિ અને રોજગારની સંભાવનાઓથી ભરેલું છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટનું એક મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે અને તેને ધ્યાનમાં રાખીને દરેક ગરીબને પાકું ઘર, નળના પાણીની સુવિધા, શૌચાલય, ગેસની સુવિધા મળે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

જ્વાળામુખી વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં મૌન

મલેશિયામાં ભારે વરસાદ અને ટોંગામાં જ્વાળામુખી વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં રાજ્યસભાના સભ્યોએ મૌન પાળ્યું હતું.

ખડગેએ કહ્યું- આ મૂડીવાદી બજેટ છે

 ખેડૂતો અને મજૂરો માટે કંઈ નથી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આ મૂડીવાદી બજેટ છે જેમાં ખેડૂતો, મનરેગા કામદારો અને એસસી/એસટી અને ઓબીસી સમુદાયોને આપવા માટે કંઈ નથી.” આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે

દેશમાં 16,427 ખાનગી સુરક્ષા એજન્સીઓ સક્રિય છે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું કે હાલમાં દેશમાં 16,427 ખાનગી સુરક્ષા એજન્સીઓ સક્રિય છે. જેમાં મહારાષ્ટ્રમાં 2800થી વધુ અને ગુજરાતમાં 2200થી વધુ સક્રિય છે.

દેશમાં 42 આતંકવાદી સંગઠનો અસ્તિત્વ ધરાવે છે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યસભાને જણાવ્યું કે, ભારતમાં આતંકવાદી સંગઠનો તરીકે નિયુક્ત કરાયેલા સંગઠનોની સંખ્યા 42 છે. યુએપીએના શેડ્યૂલ 4 હેઠળ 31 લોકોને આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

કલમ 370 નાબૂદ કર્યા પછી 439 આતંકવાદીઓ માર્યા ગયા

રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન 98 નાગરિકોના મોત થયા હતા અને 109 સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. આ દરમિયાન આતંકની 541 ઘટનાઓ બની હતી.

રેલવેમાં 15%  પોસ્ટ હજુ ખાલી છે- ખડગે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">