નવી યોજનાઓની જાહેરાતથી દેશની જનતાને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Agriculture Budget 2022: પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ (Union Budget 2022-23) દેશમાં કૃષિને મોટો વેગ આપશે, તેની સાથે ખેડૂતોને પણ ઘણો ફાયદો થશે.

નવી યોજનાઓની જાહેરાતથી દેશની જનતાને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 11:20 AM

કેન્દ્રીય નાણા મંત્રી (Union Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) સંસદ ભવનમાં કેન્દ્રીય બજેટ 2022-23 (Union Budget 2022-23) રજૂ કર્યું હતું. દેશના ખેડૂતો માટે બજેટમાં કરાયેલી જાહેરાત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે આ બજેટથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. આ તેમની આવક બમણી કરવામાં ઘણું મદદરૂપ થશે. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટથી મધ્યમ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (MSMEs)ને ફાયદો થશે. તેઓએ કહ્યું કે “MSME માટે, ક્રેડિટ ગેરંટી અને ઘણી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. જેનો દેશની જનતાને ફાયદો થશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બજેટમાં કૃષિ ક્ષેત્ર પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. તેનાથી ખેડૂતોને ફાયદો થશે. ત્યારે વડાપ્રધાને દાવો કર્યો હતો કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા નાણાકીય રોડ મેપથી અર્થતંત્રના દરેક ક્ષેત્રને ફાયદો થશે. બજેટમાં એમએસપી(MSP) પર પાકની ખરીદી વધારવાની વાત કહેવામાં આવી છે. આ બજેટમાં 2.25 લાખ કરોડ રૂપિયાથી વધુની MSPની જાહેરાત કરવામાં આવી છે. તેનો હેતુ ખેડૂતોને ફાયદો પહોંચાડવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ ખેડૂતોની આવક બમણી કરશે.

કેમિકલ ફ્રી ગંગા

વડાપ્રધાને કહ્યું કે આ પ્રકારનું બજેટ લોકો માટે નવી આશાઓ અને તકો લઈને આવે છે. તે અર્થતંત્રને મજબૂત બનાવે છે. તે ‘વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓ’થી ભરેલું છે, ગ્રીન જોબ્સની નવી જોગવાઈ પણ છે. બજેટ યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેમણે વધુમાં કહ્યું કે ગંગા નદીના કિનારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય જે બજેટમાં જાહેર કરવામાં આવ્યો હતો, તેનાથી માત્ર ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના ખેડૂતોને ફાયદો થશે નહીં, પરંતુ ગંગા નદીને કેમિકલ ફ્રી બનાવવામાં પણ મદદ મળશે.

ખેતી અને ખેડૂતો પર વિશેષ ધ્યાન

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં પ્રથમ વખત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર જેવા પ્રદેશો માટે ‘પર્વત માલા’ યોજના શરૂ કરવામાં આવી રહી છે. તે પર્વતોમાં પરિવહન અને જોડાણની આધુનિક વ્યવસ્થાને સરળ બનાવશે. આનાથી સરહદી ગામડાઓને શક્તિ મળશે.

નોંધપાત્ર વાત એ છે કે આ બજેટમાં દેશના ખેડૂતો અને કૃષિ પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે કારણ કે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોનો ગુસ્સો પણ સરકારને ઓછો કરવો પડ્યો, કારણ કે ગત વર્ષે નવેમ્બરમાં પીએમ મોદી દ્વારા રદ્દ કરાયેલા કૃષિ સુધારણા કાયદા સામે મોટા પાયે પ્રદર્શન થયા હતા.

આ પણ વાંચો: Ginger farming: ઓછા રોકાણે મળે છે વધુ નફો, આદુની ખેતીથી કરી શકાય છે લાખોની કમાણી

આ પણ વાંચો: Smartphone Hidden Features: આ છે સ્માર્ટફોનના એવા હિડન ફિચર્સ જેના ઉપયોગથી ઘણા કામ થઈ જશે સરળ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">