AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવી યોજનાઓની જાહેરાતથી દેશની જનતાને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Agriculture Budget 2022: પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ (Union Budget 2022-23) દેશમાં કૃષિને મોટો વેગ આપશે, તેની સાથે ખેડૂતોને પણ ઘણો ફાયદો થશે.

નવી યોજનાઓની જાહેરાતથી દેશની જનતાને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 11:20 AM
Share

કેન્દ્રીય નાણા મંત્રી (Union Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) સંસદ ભવનમાં કેન્દ્રીય બજેટ 2022-23 (Union Budget 2022-23) રજૂ કર્યું હતું. દેશના ખેડૂતો માટે બજેટમાં કરાયેલી જાહેરાત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે આ બજેટથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. આ તેમની આવક બમણી કરવામાં ઘણું મદદરૂપ થશે. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટથી મધ્યમ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (MSMEs)ને ફાયદો થશે. તેઓએ કહ્યું કે “MSME માટે, ક્રેડિટ ગેરંટી અને ઘણી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. જેનો દેશની જનતાને ફાયદો થશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બજેટમાં કૃષિ ક્ષેત્ર પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. તેનાથી ખેડૂતોને ફાયદો થશે. ત્યારે વડાપ્રધાને દાવો કર્યો હતો કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા નાણાકીય રોડ મેપથી અર્થતંત્રના દરેક ક્ષેત્રને ફાયદો થશે. બજેટમાં એમએસપી(MSP) પર પાકની ખરીદી વધારવાની વાત કહેવામાં આવી છે. આ બજેટમાં 2.25 લાખ કરોડ રૂપિયાથી વધુની MSPની જાહેરાત કરવામાં આવી છે. તેનો હેતુ ખેડૂતોને ફાયદો પહોંચાડવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ ખેડૂતોની આવક બમણી કરશે.

કેમિકલ ફ્રી ગંગા

વડાપ્રધાને કહ્યું કે આ પ્રકારનું બજેટ લોકો માટે નવી આશાઓ અને તકો લઈને આવે છે. તે અર્થતંત્રને મજબૂત બનાવે છે. તે ‘વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓ’થી ભરેલું છે, ગ્રીન જોબ્સની નવી જોગવાઈ પણ છે. બજેટ યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે.

તેમણે વધુમાં કહ્યું કે ગંગા નદીના કિનારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય જે બજેટમાં જાહેર કરવામાં આવ્યો હતો, તેનાથી માત્ર ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના ખેડૂતોને ફાયદો થશે નહીં, પરંતુ ગંગા નદીને કેમિકલ ફ્રી બનાવવામાં પણ મદદ મળશે.

ખેતી અને ખેડૂતો પર વિશેષ ધ્યાન

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં પ્રથમ વખત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર જેવા પ્રદેશો માટે ‘પર્વત માલા’ યોજના શરૂ કરવામાં આવી રહી છે. તે પર્વતોમાં પરિવહન અને જોડાણની આધુનિક વ્યવસ્થાને સરળ બનાવશે. આનાથી સરહદી ગામડાઓને શક્તિ મળશે.

નોંધપાત્ર વાત એ છે કે આ બજેટમાં દેશના ખેડૂતો અને કૃષિ પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે કારણ કે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોનો ગુસ્સો પણ સરકારને ઓછો કરવો પડ્યો, કારણ કે ગત વર્ષે નવેમ્બરમાં પીએમ મોદી દ્વારા રદ્દ કરાયેલા કૃષિ સુધારણા કાયદા સામે મોટા પાયે પ્રદર્શન થયા હતા.

આ પણ વાંચો: Ginger farming: ઓછા રોકાણે મળે છે વધુ નફો, આદુની ખેતીથી કરી શકાય છે લાખોની કમાણી

આ પણ વાંચો: Smartphone Hidden Features: આ છે સ્માર્ટફોનના એવા હિડન ફિચર્સ જેના ઉપયોગથી ઘણા કામ થઈ જશે સરળ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">