બ્રિટિશ PM બોરિસ જોન્સન ભારતની મુલાકાતે આવશે, ગુજરાતમાં ઉતરશે, પછી દિલ્હી જશે, જાણો બે દિવસનું તેમનું સંપૂર્ણ શેડ્યૂલ

22 એપ્રિલે જોન્સન અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. અહીં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બંને નેતાઓ ભારત અને યુકે વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ઊંડાણપૂર્વક વાતચીત કરશે.

બ્રિટિશ PM બોરિસ જોન્સન ભારતની મુલાકાતે આવશે, ગુજરાતમાં ઉતરશે, પછી દિલ્હી જશે, જાણો બે દિવસનું તેમનું સંપૂર્ણ શેડ્યૂલ
British PM Boris Johnson will visit India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 5:31 PM

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન(Boris Johnson)બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. PM જોન્સન આવતીકાલે એટલે કે ગુરુવારે અમદાવાદ(Ahmedabad) પહોંચશે. બીજા દિવસે એટલે કે 22 એપ્રિલે જોન્સન અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. દિલ્હી પહોંચ્યા બાદ બ્રિટિશ પીએમ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરવાના છે. આ પછી તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે. આના થોડા સમય બાદ પીએમ જોન્સન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

માહિતી અનુસાર, બંને નેતાઓ ભારત અને બ્રિટન વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ઊંડાણપૂર્વક વાતચીત કરશે. અમદાવાદમાં, જ્હોન્સન ભારત અને બ્રિટન વચ્ચેના મજબૂત વ્યાપારી અને વ્યવસાયિક સંબંધો અંગે ચર્ચા કરવા માટે અગ્રણી ઉદ્યોગપતિઓને મળવાના છે. દેશનું પાંચમું સૌથી મોટું રાજ્ય, ગુજરાત, જ્હોન્સનની ભારત મુલાકાત માટે પસંદ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે કારણ કે તે બ્રિટનમાં રહેતા લગભગ અડધા બ્રિટિશ-ભારતીઓની પૂર્વજોની જમીન છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

PM જોન્સન ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી શકે છે

ડાઉનિંગ સ્ટ્રીટના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગુજરાતમાં, વડાપ્રધાન યુકે અને ભારતમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત કરી શકે છે, જે બંને દેશોમાં રોજગાર સર્જન અને વૃદ્ધિને વેગ આપશે.” આ સિવાય અત્યાધુનિક વિજ્ઞાન, સ્વાસ્થ્ય અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ નવા સહયોગની જાહેરાત થઈ શકે છે.

પીએમ મોદી અને જોન્સન વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા થશે

નિવેદન અનુસાર, નવી દિલ્હીમાં પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન, બંને નેતાઓ યુકે અને ભારત વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ઊંડાણપૂર્વક વાતચીત કરશે, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની નજીકની ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા સહયોગને મજબૂત બનાવવાનો છે. તે જ સમયે, આવા એક કરાર મુક્ત વેપાર કરાર (FTA) વાટાઘાટોનું પરિણામ હોઈ શકે છે જે આ મહિનાના અંતમાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે જે અંતર્ગત 2035 સુધીમાં બ્રિટનનો કુલ વાર્ષિક વેપાર વધીને 28 બિલિયન પાઉન્ડ થવાનો અંદાજ છે.

ગયા વર્ષની શરૂઆતમાં મોદી અને જોન્સન મળ્યા હતા

મોદી અને જોન્સન અગાઉ નવેમ્બર 2021માં ગ્લાસગોમાં ક્લાઈમેટ સમિટ દરમિયાન મળ્યા હતા. ગયા વર્ષે, બંને UK-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર સંમત થયા હતા, જેના હેઠળ UK £530 મિલિયન (US$692 મિલિયન) કરતાં વધુનું રોકાણ કરશે અને વેપાર, આરોગ્ય, આબોહવા, સંરક્ષણ અને સુરક્ષામાં સહકારની જાહેરાત કરશે.

આ પણ વાંચો-બ્રિટિશ PM બોરિસ જોન્સન ભારત મુલાકાત દરમિયાન આવશે ગુજરાત, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">