AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચારધામ યાત્રા પર ફરી હવામાનનું સંકટ, કેદારનાથ ધામની મુલાકાત માટે 8 મે સુધી રજીસ્ટ્રેશન બંધ, જાણો Latest update

કેદારનાથ ધામ માટે નોંધણી 8 મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી ઉત્તરાખંડ સરકાર દ્વારા આપવામાં આવી છે. 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

Breaking News: ચારધામ યાત્રા પર ફરી હવામાનનું સંકટ, કેદારનાથ ધામની મુલાકાત માટે 8 મે સુધી રજીસ્ટ્રેશન બંધ, જાણો Latest update
breaking news kedarnath yatra registration closed
| Updated on: May 05, 2023 | 10:47 AM
Share

ઉત્તરાખંડ સરકારે માહિતી આપી છે કે કેદારઘાટીમાં આગામી 3 થી 4 દિવસ સુધી ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે રજીસ્ટ્રેસન 8 મે સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

 8 મે સુધી રજીસ્ટ્રેશન બંધ

કેદારનાથ ધામની મુલાકાત માટે રજીસ્ટ્રેસન પર 8 મે સુધી પ્રતિબંધ રહેશે. પર્યટન વિભાગના રેકોર્ડ મુજબ, 10 મે સુધી, 1.26 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લેવા માટે રજીસ્ટ્રેસન કરાવ્યું છે. એક મહિનાથી ઓછા સમયમાં, અત્યાર સુધીમાં 1.23 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. 10 મે પછીના સ્લોટ માટે નોંધણી શરૂ થતાંની સાથે જ ભક્તો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વાસ્તવમાં, હવામાન વારંવાર ખરાબ થઈ રહ્યું છે, જેના કારણે ટ્રાવેલ રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે.

આગામી 4 દિવસ હવામાન ખરાબ

જ્યારથી કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ છે ત્યારથી હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે. કેદારનાથ ધામમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. ખરાબ હવામાનને કારણે કેદારનાથ ધામની યાત્રા અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી, ત્યારબાદ તેને ફરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી કેદારનાથ ધામમાં હવામાન ખરાબ રહી શકે છે. જો કે, ચાર ધામ યાત્રા પર જતા ભક્તો બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની મુલાકાત માટે સરળતાથી નોંધણી કરાવી શકે છે.

25 એપ્રિલે ખુલ્યા હતા કેદારનાથ ધામના કપાટ

આ વર્ષે કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે ખોલવામાં આવ્યા હતા. ત્યારથી સતત કેદારનાથ ધામની યાત્રાએ જતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે નોંધણી વિના કોઈ પણ ભક્ત ચાર ધામની મુલાકાત લઈ શકશે નહીં. આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોનો ક્વોટા પણ ખતમ કરી દેવામાં આવ્યો છે, ત્યારબાદ નોંધણી ઝડપથી વધી રહી છે. આ વખતે ભક્તો ટોકન સિસ્ટમ દ્વારા કેદારનાથ ધામની યાત્રા કરી રહ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
g clip-path="url(#clip0_868_265)">