AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાની સેના દ્વારા તખ્તાપલટની અટકળો વચ્ચે ત્યાંની સુપ્રીમ કોર્ટે જનરલ મુનીરને આપ્યા વિશેષાધિકાર, બની ગયો વધુ શક્તિશાળી

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સૈન્ય અદાલતોમાં આમ નાગરિકો વિરુદ્ધ ચાલી રહેલા નિર્ણયોને પડકારનારી યાચિકાને ફગાવી દીધી છે. એટલે કે મુનીર ઈચ્છે તેને ટાંગી શકે છે.

Breaking News: પાકિસ્તાની સેના દ્વારા તખ્તાપલટની અટકળો વચ્ચે ત્યાંની સુપ્રીમ કોર્ટે જનરલ મુનીરને આપ્યા વિશેષાધિકાર, બની ગયો વધુ શક્તિશાળી
Follow Us:
| Updated on: May 09, 2025 | 8:12 PM

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સૈન્ય અદાલતોમાં આમ નાગરિકો વિરુદ્ધ ચાલી રહેલા નિર્ણયોને પડકારનારી યાચિકાને ફગાવી દીધી છે. એટલે કે મુનીર ઈચ્છે તેને ટાંગી શકે છે.  આર્મી ચીફ અસીમ મુનીરે ભલે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધમાં ધકેલી દીધું હોય, પરંતુ સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનમાં તેમની ઔર વધારી દીધુ છે.  પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતાં પાકિસ્તાનની લશ્કરી અદાલતોમાં નાગરિકો સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. જે બાદ પાકિસ્તાની સેનાને લશ્કરી અદાલતોમાં સામાન્ય નાગરિકો પર કેસ ચલાવવાનો ખુલ્લો અધિકાર મળ્યો છે. એટલે કે, દેશની લોકશાહીને પહેલાથી જ કચડી નાખનારી પાકિસ્તાની સેનાને સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ વધુ સત્તા મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી અસીમ મુનીર વધુ શક્તિશાળી બની ગયા છે અને ઇમરાન ખાન માટે આ મોટા ઝટકા સમાન છે.

7 મેના રોજ, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં, લશ્કરી અદાલતોમાં નાગરિકો વિરુદ્ધના નિર્ણયોને પડકારતી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં, લશ્કરી અદાલતોમાં નાગરિકો વિરુદ્ધના કેસોને ‘ગેરબંધારણીય’ ગણાવવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, ઇસ્લામાબાદની ટોચની અદાલતની બંધારણીય બેન્ચે ચુકાદો આપતાં, 9 મે 2023ના રોજ સૈન્ય વિરોધી વિરોધ પ્રદર્શનોમાં સામેલ ઇમરાન ખાનના સમર્થકો સામે સૈન્ય કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો કર્યો છે.

પાકિસ્તાનમાં અસીમ મુનીર બન્યો વધુ શક્તિશાળી

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અમીનુદ્દીન ખાનની આગેવાની હેઠળની સાત સભ્યોની બંધારણીય બેન્ચે ઓક્ટોબર 2023ના સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયને જ પલટી નાખ્યો છે. એટલે કે, પાકિસ્તાન એક એવો દેશ બની ગયો છે જ્યાં સુપ્રીમ કોર્ટ થોડા મહિનાઓ પછી પોતાના જ નિર્ણયને પલટાવી નાખે છે.  જે તે થોડા મહિનાઓ પહેલા નિર્ણય લે છે. તે સમય દરમિયાન, બીજી બંધારણીય બેન્ચે લશ્કરી અદાલતમાં નાગરિકોના કેસ ચલાવવા સામે ચુકાદો આપ્યો હતો અને તેને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

પાકિસ્તાનના 100 રૂપિયા ચીનમાં જઈને કેટલા થઈ જાય ?
ઓફિસના ડેસ્ક પર તુલસી રાખવી શુભ છે કે અશુભ?
ત્રિવેદી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Moong Dal: કેમિકલયુક્ત મગની દાળ ઓળખવા માટેની સરળ ટિપ્સ
Plant In Pot : આ છોડ પાણી વગર પણ લાંબા સમય સુધી રહેશે સ્વસ્થ
Money Plant: આપણે કોઈને મની પ્લાન્ટ ભેટમાં આપવો જોઈએ કે નહીં?

“શું પાકિસ્તાનમાં મુનીરનો થશે તખ્તાપલટ? જો સંઘર્ષ લાંબો ચાલ્યો તો બીજુ સિરીયા બનતા વાર નહીં લાગે” —  આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો”

g clip-path="url(#clip0_868_265)">