AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોદી સરકારે મનરેગાનું નામ બદલ્યું, કામના દિવસોમાં પણ વધારો થયો, કેબિનેટને મંજૂરી મળી

કેન્દ્રની મોદી સરકાર મનરેગા યોજનાનું નામ બદલીને મંજૂરી આપશે. શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. જાણો વિગતે.

Breaking News : મોદી સરકારે મનરેગાનું નામ બદલ્યું, કામના દિવસોમાં પણ વધારો થયો, કેબિનેટને મંજૂરી મળી
| Updated on: Dec 12, 2025 | 3:56 PM
Share

મોદી સરકાર હવે મનરેગા યોજનાનું નામ બદલવાની તૈયારીમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મનરેગાને નવી ઓળખ આપીને તેને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ નામ આપવામાં આવી શકે છે. આ યોજનામાં ગ્રામીણ ગરીબોને દર વર્ષે 125 દિવસનું કામ સુનિશ્ચિત કરવામાં આવશે. સરકાર આ માટે ₹1.51 લાખ કરોડનું વિશાળ બજેટ ફાળવવાની તૈયારીમાં છે.

2005માં તત્કાલીન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા તરીકે શરૂ થયેલી આ યોજના બાદમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા (મનરેગા) તરીકે ઓળખાઈ. દેશમાં 154 મિલિયન લોકો આ યોજનાથી વર્ષો સુધી રોજગાર અને આજીવિકા મેળવી ચૂક્યા છે.

હાલમાં મનરેગા હેઠળ લોકો માટે દર વર્ષે 100 દિવસનું કામ સુનિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ નવા પ્રસ્તાવ બાદ આ મર્યાદા 125 દિવસ સુધી વધારી શકાય છે. આ નિર્ણયને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળવાની શક્યતા છે.

શાંતિ બિલ 2025 ને પણ મળવાની સંભાવના

કેબિનેટની બેઠકમાં પરમાણુ ઉર્જા ક્ષેત્ર સંબંધિત ‘શાંતિ બિલ 2025’ ને પણ મંજૂરી મળી શકે છે. આ બિલ પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં નવી નીતિ, રોકાણ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે માર્ગ મોકળો કરશે.

શિક્ષણ ક્ષેત્રમાં મોટો ફેરફાર: વિકાસ ભારત શિક્ષા આધિસ્થાન બિલ 2025

કેબિનેટ બેઠકમાં વિકાસ ભારત શિક્ષા આધિસ્થાન બિલ 2025ને પણ લીલી ઝંડી મળી શકે છે. દેશની શિક્ષણ પ્રણાલીને ‘વિકસિત ભારત’ના વિઝન સાથે સાંકળવાનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગણાવવામાં આવી રહ્યો છે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">