AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત

કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંધવીએ મીનાક્ષી નટરાજનના રાજ્યસભાના નોમિનેશનને રદ થવાને ગેરકાનુની અને પક્ષપાતી કહ્યું છે. તેમણે કહ્યું કે, નટરાજન વિરુદ્ધ કોઈ અપરાધિક ગુનો નથી. માત્ર નોટિસ જાહેર કરી છે. તેનું નોમિનેશન રદ થવું કાનુની રુપથી ખોટું છે.

Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત
| Updated on: Jun 10, 2026 | 1:42 PM
Share

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ કરવાના મામલે તેમણે કાનુન પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય કાયદેસર રીતે ખોટો અને સંપૂર્ણપણે પક્ષપાતી હતો. તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને નટરાજનના ઉમેદવારી પત્રોને સ્વીકારવા જોઈએ. તેમની સામે કોઈ ફોજદારી કેસ નથી.

સિંધવીએ કહ્યું કે,નટરાજન વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો કેસ નથી. તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કોઈ પણની વિરુદ્ધ કોઈ પણ કેસ કરી શકે છે. તે ત્યાંસુધી વેલિડ નથી હોતું જ્યાં સુધી જજ એક્શન ન લે,સિંધવીએ કહ્યું કે, કોર્ટે નટરાજનને નોટિસ જરુર મોકલી હતી પરંતુ હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી. જ્યાં સુધી આ મામલાની સુનાવણી નહી થાય ત્યાં સુધી આને આધાર બનાવી તેનું નોમિનેશન રદ કરવું કાયદાકિય રીતે ખોટું છે. તમને જણાવી દઈએ કે, સિંધવીનો આ વીડિયો પોસ્ટ દિગ્વિજય સિંહે પોતાના સોશિયલ મીડિયાથી કર્યો છે.

આ લોકતંત્રની હત્યા અને સીટની ચોરી

કોંગ્રેસના વરિષ્ઠનેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, આ લોકતંત્રની હત્યા છે. મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાનું નોમિનેશન પત્ર રદ કરવું, તેમણે કહ્યું કે, જે રીતે પ્રકરણના કારણે રદ કરવામાં આવ્યું છે.આજ સુધી, ન તો FIR દાખલ કરવામાં આવી છે કે ન તો કેસ નોંધવામાં આવ્યો છે. ફક્ત એક નોટિસ જાહેર કરવામાં આવી છે, જેનો ઉલ્લેખ ઉમેદવારી ફોર્મમાં પણ કરવાની જરૂર નથી. આ સીટ ચોરી છે. અમારો સંઘર્ષ ચાલુ રહેશે.

ઉમેદવારીપત્રો રદ થયા બાદ કોંગ્રેસમાં રોષ

મધ્યપ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ કહ્યું કે, અમારા તમામ ડોક્યુમેન્ટ સંપૂર્ણ રીતે સાચા હતા. પરંતુ ભાજપ અને ચૂંટણી પંચ પહેલા એ નક્કી કરીને આવ્યા હતા કે, સામ,દામ દંડ અને ભેદ અપનાવી કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ કરવું જોઈએ. ભાજપ સરકારે પહેલા સ્ક્રિપ્ટ લખી અને પછી ચૂંટણી પંચ સાથે ચાલાકી કરીને નામાંકન રદ કરાવ્યું.

તેમણે કહ્યું કે, આખો દેશ જોઈ રહ્યો છે. કઈ રીતે નરેન્દ્ર મોદી અને ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે.ઉમેદવારીપત્રો રદ થયા બાદ કોંગ્રેસમાં રોષ છે. મધ્યપ્રદેશમાં 3 સીટ માટે ચૂંટણી છે.

રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. અહી ક્લિક કરો

Follow Us
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
g clip-path="url(#clip0_868_265)">