AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મલ્લિકાર્જુન ખરગેએ સમગ્ર ગુજરાતીઓનું કર્યુ અપમાન, PM મોદીનું નામ લઈને ગુજરાતીઓને ગણાવ્યા અશિક્ષિત અને મૂર્ખ- Video

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહાને ગુજરાતીઓનું અપમાન કર્યુ છે. ખરગેએ તમામ ગુજરાતીઓને અશિક્ષિત અને મૂર્ખ ગણાવતા કહ્યુ કે મોદીજી ગુજરાતની અશિક્ષિત જનતાને મૂર્ખ બનાવી શકે. પરંતુ કેરલની શિક્ષિત જનતાને નહીં.

Breaking News: મલ્લિકાર્જુન ખરગેએ સમગ્ર ગુજરાતીઓનું કર્યુ અપમાન, PM મોદીનું નામ લઈને ગુજરાતીઓને ગણાવ્યા અશિક્ષિત અને મૂર્ખ- Video
| Updated on: Apr 05, 2026 | 7:23 PM
Share

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ફરી એકવાર ગુજરાતીઓનુ અપમાન કર્યુ છે. કેરલમમાં જનસભા દરમિયાન તેમણે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને ગુજરાતીઓને અશિક્ષિત ગણાવ્યા. ખરગેએ કહ્યુ મોદીજી ગુજરાતની અશિક્ષિત જનતાને મૂર્ખ બનાવી શકે, પરંતુ કેરલના શિક્ષિત લોકોને મૂર્ખ ન બનાવી શકે. કેરલમમાં પ્રચાર સમયે મલ્લિકાર્જુન ખરગેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતીઓનું અપમાન કરતા રાજકારણ ગરમાયુ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે આ પ્રકારનું વિવાદની નિવેદન કેરલમાં જનસભા દરમિયાન આપ્યુ. તેમણે કહ્યુ મોદીજી તમે કેરલના હોશિયાર અને શિક્ષિત લોકોને ગેરમાર્ગે નહીં દોરી શકો. તમે જે ગુજરાતના અશિક્ષિત લોકોને મૂર્ખ બનાવી શકો છો તે ગુજરાતમાં નહીં કરી શકો.

જો કે મલ્લિકાર્જુન ખરગેના આ નિવેદન બાદ ગુજરાત ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે વળતો સવાલ કર્યો છે કે શું સમગ્ર ગુજરાતીઓનું અપમાન કરવા બદલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કે કોંગ્રેસના હાઈકમાન્ડ રાહુલ ગાંધી ગુજરાતીઓની માફી માગશે?

આ તકે ભાજપના પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યુ કે આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે ગુજરાતીઓનું અપમાન કર્યુ.  આ પહેલા પણ અનેકવાર કોંગ્રેસના નેતાઓ અવારનવાર ગુજરાતીનું અપમાન કરતા આવ્યા છે. કોંગ્રેસને પહેલેથી જ ગુજરાતીઓ આંખમાં કણાની જેમ ખૂંચે છે. અનિલ પટેલે કહ્યુ કે આ સિલસિલો નહેરુના સમયથી ચાલ્યો આવે છે.  અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલ પણ નહેરુને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા.

આ પહેલા લોકસભાની ચૂંટણી સમયે યુપીના બે લડકા અખીલેશ અને રાહુલ ગાંધીએ ગુજરાતીઓનું અપમાન કર્યુ હતુ.  અગાઉ રાહુલ ગાંધીએ સારે મોદી ચોર હે કહીને સમગ્ર મોદી જાતિનું અપમાન કર્યુ. એ અગાઉ મણિશંકર ઐયરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નીચ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો. આ અગાઉ પણ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચાયવાલા કહીને અપમાનિત કર્યા હતા.  કોંગ્રેસના નેતાઓ ગુજરાત અને ગુજરાતીઓ વિશે વારંવાર વિવાદી નિવેદન આપતા આવ્યા છે. ત્યારે ભાજપે હવે ગુજરાતીઓને અશિક્ષિત કહેવા બદલ સ્થાનિક ચૂંટણીમાં આ અપમાનનો ગુજરાતીઓ જવાબ આપશે. તેવો દાવો કર્યો છે.

ભાજપે મલ્લિકાર્જુનના ગુજરાતીઓને અશિક્ષિત કહેવાના નિવેદનને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જોડી દીધુ છે અને ગુજરાતીઓ ચોક્કસથી કોંગ્રેસને જવાબ આપશે તેવો દાવો કર્યો છે.

માઉન્ટ એવરેસ્ટ પર ચાલી રહ્યો છે સ્લો પોઈઝનિંગ નો ખેલ? રેસ્ક્યુના નામે ચાલતા ₹200 કરોડના કૌભાંડનું શું છે કાળુ સત્ય- વાંચો

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">