AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોચીના પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી, કેરળમાં હાઈએલર્ટ, કેન્દ્રીય એજન્સીઓએ માંગ્યો રિપોર્ટ

ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું કે પીએમ મોદીના કાર્યક્રમો સમયસર થશે. મોદી 24 એપ્રિલે કોચી પહોંચશે અને તિરુવનંતપુરમ ખાતે રાજ્યને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપશે.

Breaking News: કોચીના પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી, કેરળમાં હાઈએલર્ટ, કેન્દ્રીય એજન્સીઓએ માંગ્યો રિપોર્ટ
| Updated on: Apr 22, 2023 | 1:24 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસ પહેલા એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પછી કેરળ હાઈ એલર્ટ પર છે. મીડિયા રિપોર્ટસ મુજબ પત્ર મોકલનારે પીએમ મોદીની 24 એપ્રિલે કોચીની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. આ પત્રમાં મોકલનારનું નામ અને સરનામું લખવામાં આવ્યું છે. આ પછી તરત જ પોલીસ તે જગ્યાએ પહોંચી ગઈ જેનું નામ પત્રમાં લખેલું હતું.

જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો તે ડરી ગયો અને તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે મને ફસાવવા માટે કોઈએ પત્ર પર મારું નામ લખ્યું છે. જ્યારે મને એ પણ ખબર નથી કે આ મામલો શું છે? જો કે કેરળમાં હાઈ એલર્ટ છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ચેકિંગ વધી ગયું છે.

આ પણ વાંચો: Poonch Attack: પૂંછ આતંકી હુમલામાં થયો ખુલાસો, બે આતંકીઓએ ISI ના ઈશારે યુવાનોને ગેરમાર્ગે દોરતા હતા

લેટર મીડિયા સામે આવ્યો

આ દરમિયાન સુરક્ષાને લઈને અધિક પોલીસ મહાનિર્દેશકનો એક પત્ર પણ મીડિયામાં સામે આવ્યો છે. ADGPના પત્રમાં BAN પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની ધમકી સહિત અન્ય ઘણી ગંભીર ધમકીઓ દર્શાવવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને પત્ર લીક થવા પર રાજ્ય પોલીસની ચૂક ગણાવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું કે પીએમ મોદીના કાર્યક્રમો સમયસર થશે. મોદી 24 એપ્રિલે કોચી પહોંચશે અને તિરુવનંતપુરમ ખાતે રાજ્યને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપશે.

રોડ શો પણની પણ તૈયારી

પીએમ મોદી 24મીએ કેરળ પહોંચશે. અહીં તેઓ રોડ શો કરશે અને જનસભાને પણ સંબોધિત કરશે. કેરળ ભાજપને પીએમની આ મુલાકાતથી ઘણી આશાઓ છે. પાર્ટી દક્ષિણ ભારતમાં પોતાની કેડર વધારી રહી છે. પીએમ મોદીના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો પહોંચશે. તે જોતા હવે આ ધમકીભર્યો પત્ર મળવો ચિંતાનો વિષય છે. જો કે આ પત્ર નકલી પણ હોઈ શકે છે, પરંતુ તેને હળવાશથી ન લઈ શકાય. તમને જણાવી દઈએ કે હાલમાં તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">