Breaking News : નહીં સુધરે ‘નાપાક’ ceasefire બાદ પાકિસ્તાની ડ્રોનોએ ફરીથી કાશ્મીર ઘાટીમાં કર્યો પ્રવેશ, ઉધમપુર અને જમ્મુમાં વાગ્યા સાયરન
લશ્કરી કાર્યવાહી અને યુદ્ધવિરામમાં થોડા સમય માટે રોકાયા બાદ પાકિસ્તાની ડ્રોનોએ ફરીવાર ભારતીય કશ્મીર ઘાટીમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સુરક્ષા સંસાધનો મુજબ, અનંતનાગ, બુડગામ, શ્રીનગર અને ઘાટીના અન્ય વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે.

લશ્કરી કાર્યવાહી અને યુદ્ધવિરામમાં થોડા સમય માટે રોકાયા બાદ પાકિસ્તાની ડ્રોનોએ ફરીવાર ભારતીય કશ્મીર ઘાટીમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સુરક્ષા સંસાધનો મુજબ, અનંતનાગ, બુડગામ, શ્રીનગર અને ઘાટીના અન્ય વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે.
ઉધમપુર અને જમ્મુમાં એલાર્મ સાંભળાયા
અખનૂર, આર.એસ.પુરા અને પર્ગવાલ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન ની લાઈન ઑફ કંટ્રોલ (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) ઉપર ભારે શેલિંગ ચાલી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પરંતુ આના માત્ર 4 કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે.
What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
શનિવારે રાત્રે, પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાને અખનૂર, રાજૌરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર તોપમારો કર્યો છે. તે જ સમયે, બારામુલ્લામાં ડ્રોન હુમલો થયો છે. પાકિસ્તાને જમ્મુના પાલનવાલા સેક્ટરમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તે જ સમયે, ભારતીય દળોને યોગ્ય જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.