AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઉત્તરાખંડના ટિહરીમાં 300 મીટર ઊંડી ખાઈમાં બોલેરો પડી, 8ના મોત

ચારધામની યાત્રા શરૂ થઈ ચૂકી છે ત્યારે જ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં એક બોલેરો કેમ્પર વાહન ઊંડી ખાઈમાં ખાબકતાં સ્થળ પર જ આઠ લોકોના મોત થયા અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ, વહીવટીતંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી જેમાં ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને સઘન તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Breaking News : ઉત્તરાખંડના ટિહરીમાં 300 મીટર ઊંડી ખાઈમાં બોલેરો પડી, 8ના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2026 | 6:38 PM
Share

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં આજે ગુરુવારે બપોરે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. એક વાહન ચંબા-કોટી રોડ પરથી પલટી ખાઈને 300 મીટર ઊંડી ખીણમાં ખાબક્યુ. આ ગોઝારા અકસ્માતમાં આઠ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (SDRF) ને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. SDRF ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ખીણની ઊંડાઈ ખૂબ જ વધારે હોવાથી, SDRFના જવાનોને ઊંડી ખીણમાં અકસ્માત સ્થળ સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે.

આ દુ:ખદ ઘટના ચંબા પ્રદેશના નેઇલ-કોટી કોલોની રોડ પર બની હોવાનું જાણવા મળે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, એક બોલેરો કેમ્પર વાહન ઋષિકેશથી ઘંસાલી તરફ જઈ રહ્યું હતું. ચંબા-કોટી રૂટ પર નેઇલ નજીક, કેમ્પર અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને ખીણમાં ખાબકી ગયું. એવો અંદાજ છે કે કેમ્પરમાં આશરે 9 થી 10 લોકો સવાર હતા. જેમાંથી આઠ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ટિહરીના ડીએમ એ જણાવી વિગતો

ઘાયલ મુસાફરોને બૌરારીની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. ટિહરીના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી બ્રિજેશ ભટ્ટે અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે. ટિહરીના જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિકા ખંડેલવાલે જણાવ્યું હતું કે એક વાહન ખીણમાં પડી ગયું હતું, અને અત્યાર સુધી મળેલા અહેવાલોમાં આઠ મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને SDRFની ટીમો હાલમાં સ્થળ પર બચાવ કામગીરી કરી રહી છે.

સીએમ ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

આ દરમિયાન, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ દુ:ખદ અકસ્માત અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે ‘X’ પર લખ્યું: “મને ટિહરી ગઢવાલ જિલ્લાના ચંબા વિસ્તારમાં આવેલા નેઇલ-કોટી કોલોની રોડ પર વાહન અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના આત્માને શાશ્વત શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. મેં જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા સૂચનાઓ જારી કરી છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે હું બાબા કેદારને પ્રાર્થના કરું છું.”

Breaking News Chardham Yatra 2026: કેદારનાથ પછી, બદ્રીનાથ ધામના પણ કપાટ ખુલ્યા, જાણો શા માટે તે ‘પૃથ્વીનું વૈકુંઠ’થી ઓળખાય છે

Follow Us
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">