AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં પાર્ટીમાં અચાનક લાગી આગ, 14 લોકોના કમકમાટી ભર્યા મોત થયા

ઝારખંડના ધનબાદ જિલ્લાના શક્તિ મંદિર રોડ પર સ્થિત આશિર્વાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મંગળવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ લાગ્યા બાદ ઘણા લોકો એપાર્ટમેન્ટમાં ફસાયેલા છે.

Breaking News : ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં પાર્ટીમાં અચાનક લાગી આગ, 14 લોકોના કમકમાટી ભર્યા મોત થયા
Aashirwad Tower in Dhanbad Jharkhand Image Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 11:56 PM
Share

ઝારખંડ આજે મોડી સાંજે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઝારખંડના ધનબાદ જિલ્લાના શક્તિ મંદિર રોડ પર સ્થિત આશિર્વાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મંગળવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ લાગ્યા બાદ ઘણા લોકો એપાર્ટમેન્ટમાં ફસાયેલા છે.

એપાર્ટમેન્ટમાં લગ્નને લઈને મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. જોકે ધનબાદના ડેપ્યુટી કમિશનર (DC) એ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જેમાં 11 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.

તે જ સમયે આ અકસ્માતમાં અન્ય ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ડઝનેક લોકોની હાલત અત્યંત ગંભીર છે તમામ ઘાયલોને બચાવીને પાટલીપુત્ર નર્સિંગ હોમમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

આગમાં હસતા-રમતા લોકો થયા સ્વાહા

આ ઘટના બાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈન્સમાંથી વિશેષ વધારાની ફોર્સ બોલાવવામાં આવી છે. આ સાથે ધનબાદની 50 થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે હાજર છે. બિલ્ડિંગની અંદર 100થી વધુ લોકો ફસાયેલા છે. જો કે, સંખ્યા હજુ સ્પષ્ટ નથી. ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

મુખ્યમંત્રી હેમંત સોરેને પણ આ ભયાનક આગની ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે.

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">