AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આંધ્રપ્રદેશના વેસ્ટ ગોદાવરીમાં આવેલા વેણુ ગોપાલ સ્વામી મંદિરમાં લાગી ભીષણ આગ, રામનવમી પર્વની ચાલી રહી હતી ઉજવણી, જુઓ Video

આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) રામનવમી પર મોટી દુર્ઘટના ટળી હતી. ત્યાંના વેણુગોપાલ મંદિર પરિસરમાં રામનવમી માટે બનાવેલા પંડાલમાં શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગી હતી. જોકે સમયસર ભક્તોને મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી.

Breaking News: આંધ્રપ્રદેશના વેસ્ટ ગોદાવરીમાં આવેલા વેણુ ગોપાલ સ્વામી મંદિરમાં લાગી ભીષણ આગ, રામનવમી પર્વની ચાલી રહી હતી ઉજવણી, જુઓ Video
West Godavari Andhra Pradesh
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:36 PM
Share

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં રામનવમી પર એક મોટી દુર્ઘટનામાંથી થતાં રહી ગઈ છે. ત્યાંના વેણુગોપાલ મંદિર પરિસરમાં રામનવમી માટે બનાવેલા પંડાલમાં શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગી હતી. જોકે સમયસર ભક્તોને મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. આગની જાણકારી મળ્યા પછી પોલીસ દળ અને ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મંદિરની આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હાલ આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.

અહીં જુઓ વીડિયો

મંદિર પરિસરમાં લાગેલી ભીષણ આગના ઘણા વીડિયો સામે આવ્યા છે. તેમાં જોઈ શકાય છે કે આગ લાગ્યા બાદ મંદિરમાં દોડધામ થઈ ગઈ હતી. લોકો જેમ તેમ રીતે મંદિરમાંથી બહાર આવી રહ્યા છે. આગ લાગતા થોડી જ વારમાં આખુ પંડાલ બળીને રાખ થઈ ગયું હતું.

ઝડપથી આખા ટેન્ટમાં ફેલાઈ આગ

આતીશબાજી દરમિયાન એક ફટાકડો એક ટેન્ટ પર પડતાં આગ લાગી હતી. આગ ઝડપથી આખા ટેન્ટમાં ફેલાઈ ગઈ હતી. જોકે સમયસર લોકોને મંદિરમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે આ દરમિયાન આગએ આખા મંદિરને લપેટમાં લીધું હતું.

આ પણ વાંચો : Breaking News: મધ્યપ્રદેશના ઇન્દોરમાં મોટી દુર્ઘટના, બેલેશ્વર મહાદેવ જૂલેલાલ મંદિરની છત ધરાશાય, 25 કરતા વધારે લોકો ઘાયલ

ઈન્દોરમાં પણ થઈ મોટી દુર્ઘટના

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રામ નવમીના દિવસે એક અકસ્માત થયો હતો. અહીંના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની ઉપરની છત તુટી પડી હતી. જેના કારણે પગથિયાં પર ઊભેલા લોકો 50 ફૂટ ઉંડા પગથિયામાં પડી ગયા હતા. બીજી તરફ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા પ્રશાસને ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

સીએમ શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ દુર્ઘટનાને કારણે વાવમાં ફસાયેલા 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 9 લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, જો કે તેઓ પણ સુરક્ષિત છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">