JNUમાં દીવાલ પર લખાયું ‘બ્રાહ્મણ-વાણિયાઓ પાછા જાઓ, અમે આવી રહ્યા છીએ’ VCએ કહ્યું- આ અસહ્ય, તપાસ કરાશે

JNUની દીવાલો પર બ્રાહ્મણ અને વણિક જ્ઞાતિ વિરુદ્ધ ઉશ્કેરણીજનક સૂત્રો લખવાના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

JNUમાં દીવાલ પર લખાયું 'બ્રાહ્મણ-વાણિયાઓ પાછા જાઓ, અમે આવી રહ્યા છીએ' VCએ કહ્યું- આ અસહ્ય, તપાસ કરાશે
Provocative writing on JNU wall
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 11:05 AM

જવાહર નહેરુ યુનિવર્સિટીની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયા વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખવામાં આવ્યા બાદ વિવાદ ખુબ જ વધી ગયો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ડી પંડિતે આ મામલાને ખુબ ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જેએનયુ વહીવટીતંત્રે પણ આ ઘટનાની સખત ટિકા કરતા કહ્યું કે, ‘કેમ્પસમાં આવી અલગતાવાદી ગતિવિધિઓને બિલકુલ સાંખી લેવામાં નહી આવે. જેએનયુ બધાનું છે કોઈ એક જ્ઞાતિ કે ધર્મના લોકોનું નથી. જેએનયુ ટીચર્સ ફોરમે પણ આ ઘટના સામે રોષ વ્યક્ત કર્યો છે.

જેએનયુના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ડી પંડિતે સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના ડીન અને ફરિયાદ સમિતિને તપાસ તાકીદે પૂર્ણ કરવા અને વહેલામાં વહેલી તકે તેનો રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. જેએનયુ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘JNUનો અર્થ સમાવેશકતા અને સમાનતા છે. જેએનયુ કેમ્પસમાં કોઈપણ પ્રકારની હિંસા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિને જાળવી રાખે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શું છે સમગ્ર ઘટના ?

ગુરુવાર, 01 ડિસેમ્બર 2022 ના રોજ, કેટલાક અજાણ્યા લોકોએ JNU કેમ્પસમાં વિવિધ સ્થળોએ દિવાલો પર બ્રાહ્મણ અને વણિક વિરોધી સૂત્રો લખ્યા હતા. કેટલાક સૂત્રો ખૂબ જ ઉશ્કેરણીજનક હતા – ‘બ્રાહ્મણ કેમ્પસ છોડો’, ‘અમે તમારા માટે આવી રહ્યા છીએ’, ‘શાખામાં પાછા જાઓ’, ‘અમે બદલો લઈશું’, ‘ખુનામરકી સર્જાશે’.

જેએનયુની દિવાલો પર લખાયેલા ઉશ્કેરણીજનક સૂત્રોની તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે. જેએનયુ ટીચર્સ ફોરમે ટ્વિટર પર, ઉશ્કેરણીજનક લખાયેલા સૂત્રોના કેટલાક ફોટા પણ શેર કર્યા છે. પોસ્ટને શેર કરતા ટીચર્સ ફોરમે ટ્વિટર પર લખ્યું છે- ‘જ્યારે ડાબેરી-ઉદારવાદી ગેંગ દરેક અસંમત અવાજને દબાવવા- ડરાવવાનું કામ કરે છે, ત્યારે તેઓ એક એવા EC પ્રતિનિધિને પસંદ કરવાની પણ અપીલ કરે છે જે પરસ્પર સન્માન, નાગરિક મૂલ્યો સ્થાપિત કરે અને બધાને સમાન વ્યવહાર આપે. ગુંડાગીરીનું આવુ વલણ અત્યંત નિંદનીય છે.

આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જેએનયુના પ્રમુખ રોહિત કુમારે કહ્યું, ‘સામ્યવાદીઓએ જેએનયુની SIS-2 બિલ્ડિંગની દિવાલો પર આ ઉશ્કેરણીજનક સૂત્રો લખ્યા છે. મુક્ત વિચારવાળા પ્રોફેસરોને ઉશ્કેરવા માટે કેટલાકે તેમની ચેમ્બર પર ઉશ્કેરણીજનક સૂત્રો પણ લખ્યા છે. શૈક્ષણિક સ્થળોનો ઉપયોગ શિક્ષણ અને ચર્ચા માટે થવો જોઈએ. સમાજ અને વિદ્યાર્થી સમુદાયમાં ઝેર ફેલાવવા માટે નહી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">