AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના સામે ફાઈટીંગનો બૂસ્ટર ડોઝ, કોવિશિલ્ડ અને કોવેક્સિનના ભાવમાં ઘટાડાની જાહેરાત સાથે અદાર પુનાવાલાએ કર્યુ ટ્વિટ, જાણો રસીનાં નવા ભાવ

કોવિડ વેક્સિન બૂસ્ટર ડોઝ (Booster Dose ) તમામ ભારતીય પુખ્ત વયના લોકો માટે ઉપલબ્ધ થાય તેના એક દિવસ પહેલા, ખાનગી હોસ્પિટલોમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતોમાં અડધાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. બંને રસીના ડોઝની કિંમત હવે રૂપિયા 225 થશે.

કોરોના સામે ફાઈટીંગનો બૂસ્ટર ડોઝ, કોવિશિલ્ડ અને કોવેક્સિનના ભાવમાં ઘટાડાની જાહેરાત સાથે અદાર પુનાવાલાએ કર્યુ ટ્વિટ, જાણો રસીનાં નવા ભાવ
Adar Poonawalla (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 4:35 PM
Share

કેન્દ્ર સરકારે 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોવિડ-19નો બૂસ્ટર ડોઝ (Covid Booster Dose in India) આપવાની જાહેરાત કરી છે. આ બુસ્ટર ડોઝ ખાનગી હોસ્પિટલોમાં લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ હવે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝ(Covishield Booster dose) ને લઈને મોટી માહિતી આપી છે. કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝ વેક્સિનની કિંમતનો ખુલાસો કરતાં તેમણે કહ્યું કે કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝની કિંમત 600 રૂપિયા હશે.

કોવિડ વેક્સિન બૂસ્ટર ડોઝ તમામ ભારતીય પુખ્ત વયના લોકો માટે ઉપલબ્ધ થાય તેના એક દિવસ પહેલા, ખાનગી હોસ્પિટલોમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતોમાં અડધાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. બંને રસીના ડોઝની કિંમત હવે રૂપિયા 225 થશે. કોવિશિલ્ડમાં રૂ. 600નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કોવેક્સિનની કિંમત રૂપિયા 1,200થી નીચે કરી નાખવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના કોફાઉન્ડર સુચિત્રા ઈલાએ આજે ​​ટ્વિટર પર આ જાહેરાત કરી હતી. કેન્દ્ર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂનાવાલાએ ગઈકાલે જણાવ્યું હતું કે કોવિશિલ્ડ પર રૂપિયા 600 વત્તા ટેક્સ (પહેલાની જેમ) ખર્ચવામાં આવશે.

“અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી, SII એ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ રસીની કિંમત રૂ. 600 થી ઘટાડીને રૂ. 225 પ્રતિ ડોઝ કરવાનો નિર્ણય લીધો છે. અમે ફરી એકવાર બુસ્ટર ડોઝ ખોલવાના કેન્દ્રના આ નિર્ણયની પ્રશંસા કરીએ છીએ. તમામ 18+ લોકોને આ ડોઝ આપવામાં આવશે.

પૂનાવાલાએ 18 વર્ષથી વધુ ઉંમરના દરેક માટે બૂસ્ટર ડોઝ ખોલવાની કેન્દ્રની જાહેરાતને આવકારી છે. તેને એક મહત્વપૂર્ણ અને સમયસર નિર્ણય ગણાવતા, તેમણે કહ્યું કે જે લોકો મુસાફરી કરવા માંગે છે તેઓને ત્રીજા ડોઝ વિના મુસાફરી કરવું મુશ્કેલ છે કારણ કે ઘણા દેશોએ બૂસ્ટર ડોઝ ન લેનારાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો :સારા અલી ખાનની સિક્રેટ ટેલેન્ટ વિશે જાણો છો?

આ પણ વાંચો :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં એવા ઘણા નેતાઓ છે જેઓ હંમેશા સત્તા ઈચ્છે છે, પરંતુ મને તેમાં રસ નથી

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">