નાંદેડ હિંસા પાછળ રઝા એકેડમીનું કાવતરું ! BJP ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું “સંગઠન પર પ્રતિબંધ લગાવો, નહીં તો તમારો અંત આવશે”

મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા બાદ હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે. પોલીસે કેટલીક જગ્યાએ સુરક્ષા વધારી છે. નાંદેડમાં ગઈકાલે કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા.

નાંદેડ હિંસા પાછળ રઝા એકેડમીનું કાવતરું ! BJP ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું સંગઠન પર પ્રતિબંધ લગાવો, નહીં તો તમારો અંત આવશે
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 2:30 PM

Maharashtra : મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા માટે રઝા એકેડમીને જવાબદાર ગણાવી છે.રઝા એકેડમીને આતંકવાદી સંગઠન સાથે સરખાવીને તેણે હિંસાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. નિતેશ રાણેએ(Nitesh Rane)  કહ્યું કે, મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા પાછળ રઝા એકેડમીનો હાથ છે.

રઝા એકેડમી પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

સાથે તેણે રઝા એકેડમી (Raza Academy) પર પ્રતિબંધની માંગ કરી છે. વધુમાં તેમણે કહ્યુ કે, જો મહારાષ્ટ્રની ઠાકરે સરકાર રઝા એકેડમી પર કાર્યવાહી નહીં કરે તો મહારાષ્ટ્રના હિતમાં અમારે તેને ખતમ કરવી પડશે.જો કે નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા બાદ હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે. પોલીસે (Police) કેટલીક જગ્યાએ સુરક્ષા વધારીને પરિસ્થતિ પર કાબુ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલની હિંસામાં કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

તેમજ વિફરેલા ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસ અધિકારીઓ(Police Officers)  પણ ઘાયલ થયા હતા. નાંદેડ શહેરના ઇટવારા પોલીસ સ્ટેશન દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, રઝા એકેડમીના એલાનને પગલે મુંબઈના(Mumbai)  ભીંડી બજાર, નાગપાડા, પાયધુની, ડોંગરી, થાણેના મુંબ્રા, કૌસા, કોપરી વિસ્તારોમાં પણ બંધની અસર જોવા મળી હતી. પરંતુ આ બંધની સૌથી વધુ હિંસક અસર નાંદેડ શહેર અને માલેગાંવના સદર વિસ્તારમાં જોવા મળી હતી. આ બંને શહેરોમાં 4 પોલીસકર્મીઓ સહિત બારથી વધુ લોકો ઘાયલ થયા છે.

વહીવટીતંત્ર એલર્ટ, કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ

મહારાષ્ટ્ર સરકારે આ જિલ્લાઓના એસપી, કલેક્ટર અને વહીવટી અધિકારીઓને એલર્ટ (Alert) પર રહેવા જણાવવામાં આવ્યુ છે અને કેટલાક વિસ્તારોમાં 4 થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ (Prohibition) લાદવામાં આવ્યો છે. ખાસ કરીને માલેગાંવ અને નાંદેડમાં કડક આદેશો આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘કંગના રનૌતનું સન્માન, દેશના હીરોનું અપમાન’, શિવસેનાના સાંસદ સંજય રાઉતે સરકાર પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું પુસ્તક વિવાદમાં, ભાજપના આ નેતાએ નોંધાવી ફરિયાદ

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">