AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કંગના રનૌતનું સન્માન, દેશના હીરોનું અપમાન’, શિવસેનાના સાંસદ સંજય રાઉતે સરકાર પર કર્યા આકરા પ્રહાર

વરુણ ગાંધી કહે છે કે કંગના નું માથું ફરી ગયું છે. તે કેમ બહેરી થઈ છે, એ તો ફક્ત NCBના વાનખેડે જ શોધી શકશે ! પણ જો આ જ કારણસર મોદી સરકારનું પણ માથુ ન ફરી ગયુ હોય તો રાજદ્રોહ બદલ કંગના ના તમામ રાષ્ટ્રીય પુરસ્કારો પાછા લઈ લેશે. વીરોનું અપમાન દેશ ક્યારેય સહન નહીં કરે.

'કંગના રનૌતનું સન્માન, દેશના હીરોનું અપમાન', શિવસેનાના સાંસદ સંજય રાઉતે સરકાર પર કર્યા આકરા પ્રહાર
Kangana Ranaut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 12:44 PM
Share

Maharashtra : બોલિવુડ ક્વીનના નિવેદનનો સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કંગનાની આકરી ટીકા કરી છે. વરુણ ગાંધી કહે છે, ‘કંગના માથું ફરી ગયુ છે. તે કયા કારણોસર બહેરી થઈ છે, તે ફક્ત એનસીબીના વાનખેડે (NCB Officer Sameer Wankhede) જ શોધી શકે તેમ છે !

મોદી સરકાર પણ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ન કરવા માગતી હોય તો તેઓ આ રાજદ્રોહ બદલ કંગના ના તમામ રાષ્ટ્રીય પુરસ્કારો પાછા લઈ લેશે. દેશ આઝાદીનું અપમાન ક્યારેય સહન નહીં કરે !” આ શબ્દોમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે કંગના રનૌત અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

શિવસેનાના મુખપત્ર સામનામાં (Samana)  લખવામાં આવ્યું છે કે, ‘કંગના રનૌતે બોમ્બ ફોડ્યો છે જેનાથી ભાજપનો નકલી રાષ્ટ્રવાદ તૂટી ગયો. કંગનાએ નિવેદન આપ્યુ કે વર્ષ 1947માં ભારતને આઝાદી નથી મળી, પરંતુ ભીખ મળી છે. દેશને વાસ્તવિક આઝાદી વર્ષ 2014માં મળી એટલે ​​કે મોદી વડાપ્રધાન બન્યા પછી દેશને આઝાદી મળી. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓનું આવુ અપમાન કોઈએ કર્યું નથી.

‘કંગના રનૌતનું સન્માન, હીરોનું અપમાન’

વધુમાં સામનામાં લખવામાં આવ્યું છે કે, ‘કંગનાને(Kangana Ranaut)  તાજેતરમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી હતી. અગાઉ આ સન્માન ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર વીરોને આપવામાં આવ્યું છે. એ જ હીરોનું અપમાન કરનાર કંગનાને એ જ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવી એ દેશની કમનસીબી છે.

કંગનાએ અગાઉ પણ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું હતું. તેમનો નાથુરામ પ્રેમ છલકાતો રહે છે. સામાન્ય રીતે તેમની બૂમો પર કોઈ બહુ ધ્યાન આપતું નથી. એક આના નો ગાંજો પીએ તો અનેક કલ્પનાઓ સુઝવા લાગે છે, આ વાત એકવાર તિલકે કહી હતી. કંગના ના કિસ્સામાં તિલકની વાત 100 ટકા સાચી સાબિત થાય છે.

મોદી સરકાર કંગનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પરત ખેંચે

સામના તંત્રીલેખમાં સાંસદ સંજય રાઉતે કંગના રનૌત પાસેથી પદ્મશ્રી એવોર્ડ પરત લેવાની માગ કરી છે. સામનામાં લખવામાં આવ્યું છે કે, ‘વર્ષ 1947માં માત્ર આઝાદી જ નહીં, ભીખ પણ મળી, પરંતુ ભીખ માંગવાની પ્રક્રિયામાં કંગનાના વર્તમાન રાજકીય પૂર્વજો ક્યાંય જોવા મળ્યા નથી. લોહી, પરસેવા, આંસુ વગેરે જેવા બલિદાનથી મળેલી આપણી સ્વતંત્રતાને ‘ભીખ’ તરીકે સંબોધવું એ દેશદ્રોહનો કેસ છે. દેશના રાષ્ટ્રપતિ આવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કાર આપે છે.

વડાપ્રધાન મોદી (PM Narendra Modi) તે સમારોહમાં હાજર છે અને કંગનાના વખાણ કરે છે, જેમણે આઝાદીને ભીખ કહી હોય. જો સ્વતંત્રતા અને ક્રાંતિકારીઓના બલિદાન માટે કોઈ આદર હોય તો કંગના નો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર આ દેશદ્રોહી નિવેદન માટે પાછો ખેંચી લેવો જોઈએ.

આ પણ વાંચો: Kangana ranautના નિવેદન સામે દેશભરમાં હંગામો, અનેક શહેરોમાં ફરિયાદો, ભાજપના નેતાઓએ પણ કરી ટીકા

આ પણ વાંચો: Maharashtra: ત્રિપુરા હિંસાના વિરોધમાં બંધનું એલાન બન્યું હિંસક ! નાંદેડ, માલેગાંવ અને અમરાવતીમાં તોડફોડ અને પથ્થરમારો, લગભગ 23 ઘાયલ; દુકાનો તોડી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">