AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં રેલવેનો મોટો ખુલાસો, સુરક્ષા રિપોર્ટમાં આપવામાં આવ્યું છે આ કારણ

ગયા મહિને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસમાં થયેલા અકસ્માતને લઈને કમિશન ઑફ રેલવે સેફ્ટી (CRS રિપોર્ટ)નો રિપોર્ટ સામે આવ્યો છે.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં રેલવેનો મોટો ખુલાસો, સુરક્ષા રિપોર્ટમાં આપવામાં આવ્યું છે આ કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 7:43 PM
Share

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગત મહિને થયેલા બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં (Bikaner-Guwahati express Accident) રેલવે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. 13 જાન્યુઆરીએ, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવે લગભગ એક મહિના બાદ તે અકસ્માતનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રેલવે સેફ્ટી કમિશન (CRS રિપોર્ટ) ના અહેવાલમાં જાળવણીમાં મોટી ક્ષતિ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, અકસ્માતની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે લોકો નંબર 22375 ડબલ્યુએપી-4નું છેલ્લું ટ્રાવેલ ઇન્સ્પેક્શન 6 ડિસેમ્બરે થયું હતું અને ત્યારથી તે ટ્રેક્શન મોટર-2 પાટા પરથી ઉતર્યા પહેલા 18,000 કિમી સુધી સતત ચાલી રહ્યું હતું. દર 4,500 કિમી પછી ડબલ્યુએપી-4 લોકોમોટિવનું નિરીક્ષણ કરવું જોઈએ.

અકસ્માત દરમિયાન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું હતું કે, “આજે સાંજે ન્યુ મયનાગુરી (પશ્ચિમ બંગાળ) નજીક એક અકસ્માતમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઝડપી બચાવ કામગીરી માટે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું.” ભારતીય રેલવેએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 5 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. 1 લાખ અને નાના ઇજાગ્રસ્ત મુસાફરોને રૂ. 25,000ની સહાય આપી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે પ્રારંભિક અહેવાલ દર્શાવે છે કે લોકોમોટિવના ઉપકરણોમાં કેટલીક ખામી હતી. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના ડોમોહાની પાસે ગુરુવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ હતી.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કેટલાક કોચ પલટી ગયા હતા. આ અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. લગભગ 36 લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળની મુલાકાત લેતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એન્જિનના સાધનો સંપૂર્ણ રીતે ખુલ્યા બાદ જ અકસ્માતનું કારણ જાણી શકાશે.

આ પણ વાંચો –

Crime: ઝેરી દારૂથી મોત થતાં વહીવટીતંત્રની મોટી કાર્યવાહી, 19 દારૂ માફિયાઓના ઘર પર ચલાવવામાં આવ્યું બુલડોઝર

આ પણ વાંચો –

Delhi Building Collapse: જૂની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો કાટમાળ નીચે દટાયા, બચાવ કામગીરી ચાલુ

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
g clip-path="url(#clip0_868_265)">