AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં રેલવેનો મોટો ખુલાસો, સુરક્ષા રિપોર્ટમાં આપવામાં આવ્યું છે આ કારણ

ગયા મહિને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસમાં થયેલા અકસ્માતને લઈને કમિશન ઑફ રેલવે સેફ્ટી (CRS રિપોર્ટ)નો રિપોર્ટ સામે આવ્યો છે.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં રેલવેનો મોટો ખુલાસો, સુરક્ષા રિપોર્ટમાં આપવામાં આવ્યું છે આ કારણ
Bikaner Guwahati Train Mishap, Commission of Railway Safety Report reveal the cause of accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 7:43 PM
Share

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગત મહિને થયેલા બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં (Bikaner-Guwahati express Accident) રેલવે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. 13 જાન્યુઆરીએ, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવે લગભગ એક મહિના બાદ તે અકસ્માતનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રેલવે સેફ્ટી કમિશન (CRS રિપોર્ટ) ના અહેવાલમાં જાળવણીમાં મોટી ક્ષતિ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, અકસ્માતની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે લોકો નંબર 22375 ડબલ્યુએપી-4નું છેલ્લું ટ્રાવેલ ઇન્સ્પેક્શન 6 ડિસેમ્બરે થયું હતું અને ત્યારથી તે ટ્રેક્શન મોટર-2 પાટા પરથી ઉતર્યા પહેલા 18,000 કિમી સુધી સતત ચાલી રહ્યું હતું. દર 4,500 કિમી પછી ડબલ્યુએપી-4 લોકોમોટિવનું નિરીક્ષણ કરવું જોઈએ.

અકસ્માત દરમિયાન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું હતું કે, “આજે સાંજે ન્યુ મયનાગુરી (પશ્ચિમ બંગાળ) નજીક એક અકસ્માતમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઝડપી બચાવ કામગીરી માટે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું.” ભારતીય રેલવેએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 5 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. 1 લાખ અને નાના ઇજાગ્રસ્ત મુસાફરોને રૂ. 25,000ની સહાય આપી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે પ્રારંભિક અહેવાલ દર્શાવે છે કે લોકોમોટિવના ઉપકરણોમાં કેટલીક ખામી હતી. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના ડોમોહાની પાસે ગુરુવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ હતી.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કેટલાક કોચ પલટી ગયા હતા. આ અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. લગભગ 36 લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળની મુલાકાત લેતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એન્જિનના સાધનો સંપૂર્ણ રીતે ખુલ્યા બાદ જ અકસ્માતનું કારણ જાણી શકાશે.

આ પણ વાંચો –

Crime: ઝેરી દારૂથી મોત થતાં વહીવટીતંત્રની મોટી કાર્યવાહી, 19 દારૂ માફિયાઓના ઘર પર ચલાવવામાં આવ્યું બુલડોઝર

આ પણ વાંચો –

Delhi Building Collapse: જૂની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો કાટમાળ નીચે દટાયા, બચાવ કામગીરી ચાલુ

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">