AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: 84 વર્ષના આ વૃદ્ધે એક વર્ષમાં કોરોનાની રસીના 11 ડોઝ લીધા ! જાણો ત્યારબાદ પોલીસે શું કર્યું ?

રસીના 11 ડોઝ લેવા પર, 84 વર્ષીય બ્રહ્મદેવ મંડલે કહ્યું કે જ્યારથી તેમણે રસી લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેઓ ક્યારેય બીમાર પડ્યા નથી અને વારંવાર રસીકરણ પછી તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો છે.

Bihar: 84 વર્ષના આ વૃદ્ધે એક વર્ષમાં કોરોનાની રસીના 11 ડોઝ લીધા ! જાણો ત્યારબાદ પોલીસે શું કર્યું ?
Brahamdev Mandal Take 11 Doses Of Corona Vaccine
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 7:12 PM
Share

બિહાર પોલીસે (Bihar Police) મધેપુરા જિલ્લાના પુરૈની વિસ્તારના રહેવાસી 84 વર્ષીય બ્રહ્મદેવ મંડલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેમણે કોવિડ-19 રસીના 11 ડોઝ (Corona Vaccine Dose) લેવાનો દાવો કર્યો હતો. પુરૈનીના સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું, પ્રાઈમરી હેલ્થ કેર (PHC) પુરૈનીએ બ્રહ્મદેવ મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને હાલ તપાસ ચાલુ છે.

મધેપુરા જિલ્લાના ઉદકીશુગંજ સબ-ડિવિઝન હેઠળના પુરૈની પોલીસ સ્ટેશનના ઓરાઈ ગામના રહેવાસી 84 વર્ષીય બ્રહ્મદેવ મંડલનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં કોરોના રસીના 11 ડોઝ લીધા છે. બ્રહ્મદેવ મંડળનો એવો પણ દાવો છે કે તેમને રસીથી ઘણો ફાયદો થયો છે, જેના કારણે તેમણે અત્યાર સુધીમાં રસીના 11 ડોઝ લીધા છે. પોલીસને આ અંગેની માહિતી મળતાં બ્રહ્મદેવ મંડળ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પુરૈનીના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) પુરૈનીએ બ્રહ્મદેવ મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેની તપાસ ચાલી રહી છે.

એક વર્ષમાં રસીના 11 ડોઝ લીધા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બ્રહ્મદેવ મંડળ સામેની ફરિયાદમાં આરોપ છે કે મંડળે વિવિધ તારીખો અને સ્થળોએ અલગ અલગ ઓળખ કાર્ડના આધારે આરોગ્ય કર્મચારીઓને ગેરમાર્ગે દોર્યા હતા. રસીકરણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને 1 વર્ષમાં રસીના 11 ડોઝ લીધા હતા. આ તેમના દ્વારા 13 ફેબ્રુઆરી, 2021 અને 4 જાન્યુઆરી, 2022 ની વચ્ચે કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલના રેકોર્ડની ચકાસણી કર્યા બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે

રસીના 11 ડોઝ લેવા પર, 84 વર્ષીય બ્રહ્મદેવ મંડલે કહ્યું કે જ્યારથી તેમણે રસી લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેઓ ક્યારેય બીમાર પડ્યા નથી અને વારંવાર રસીકરણ પછી તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો છે. મંડલના દાવાઓનો જવાબ આપતા, મધેપુરા સિવિલ સર્જન ડૉ. અમરેન્દ્ર પ્રતાપ શાહીએ કહ્યું, તેમના દાવા સાચા છે કે ખોટા તે તપાસનો વિષય છે. જો તેમના દાવા સાચા જણાશે, તો અમે હોસ્પિટલના રેકોર્ડની તપાસ કરીશું અને કેસમાં સામેલ વ્યક્તિઓ સામે પગલાં લઈશું.

આ પણ વાંચો : Assembly Election: ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કરી વિનંતી

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી, વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અંગે કરી ચર્ચા

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">