ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારે લીધો મોટો નિર્ણય, જાણો તમામ વિગત
ભારત સરકારે લોકડાઉન અને કોરોના વાઈરસની મહામારી વચ્ચે ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે. દેશમાં ખેડૂતોની આવકમાં વધારો થાય અને તેમને પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. કેન્દ્ર સરકાર એસેન્શિયલ કોમોડીટી એક્ટ, 1955માં બદલાવ કરવા જઈ રહી છે. જેના લીધે પાકના વેચાણ માટે ખેડૂતોએ એપીએમસી પર આધાર રાખવો […]
ભારત સરકારે લોકડાઉન અને કોરોના વાઈરસની મહામારી વચ્ચે ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે. દેશમાં ખેડૂતોની આવકમાં વધારો થાય અને તેમને પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. કેન્દ્ર સરકાર એસેન્શિયલ કોમોડીટી એક્ટ, 1955માં બદલાવ કરવા જઈ રહી છે. જેના લીધે પાકના વેચાણ માટે ખેડૂતોએ એપીએમસી પર આધાર રાખવો પડશે નહીં. તેઓ દેશભરમાં જઈને પોતાની પેદાશનું વેચાણ કરી શકશે. અનાજ, દાળ, તેલીબિયા, ડુંગળી સહિતની ખાધપેદાશોને સરકારે ડિરેગ્યુલેટ કરી છે. સરકાર કાયદામાં સંશોધન કરશે અને તેના લીધે ખેડૂતો પાકના સારા ભાવ મળે ત્યાં મરજીથી વેચી શકશે.
આ સિવાય સરકાર એ અંગે પણ વિચારી રહી છે ક્યાંય પણ ખેડૂતોનું ઉત્પીડન ના થાય. આ માટે પણ સરકારે અલગથી કાયદો લાવવાની વિચારણા કરી છે. ખેડૂતો માટે એક લાખ કરોડના પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવી છે. એપીએમસી એક્ટમાં સુધારો કર્યા બાદ માર્કેટમાં હરિફાઈ થવાથી ખેડૂતોને સારા ભાવ મળી શકશે. આ એક્ટ મુજબ હવે વેપારીઓ પર કાર્યવાહી નહીં થાય. જો કે વેપારીની પાસે કેટલો સ્ટોક છે તેની જાણકારી સરકારી વેબસાઈટ પણ તેમને આપવાની રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]