AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદીના 30 ડિસેમ્બરના અયોધ્યા પ્રવાસ પહેલા ઉઠી આ મોટી માગ

વડાપ્રધાન મોદીને અહીં સાંભળવા માટે લગભગ 2 લાખથી વધારે લોકો આવશે તેવી સંભાવના છે. આ બધાની વચ્ચે એરપોર્ટથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન સુધી પહોંચવા સુધીની તેમની સફર ખુબ જ ખાસ રહેશે,

વડાપ્રધાન મોદીના 30 ડિસેમ્બરના અયોધ્યા પ્રવાસ પહેલા ઉઠી આ મોટી માગ
| Updated on: Dec 24, 2023 | 6:14 PM
Share

22 જાન્યુઆરી 2024એ વડાપ્રધાન મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચે તે પહેલા તેઓ 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન અયોધ્યામાં પૂરી થઈ ચુકેલી ઘણી પરિયોજનાઓ સમર્પિત કરશે. ઘણી પરિયોજનાઓની ભેટ સોગાદ પણ આપશે. અયોધ્યાના લોકો પણ વડાપ્રધાન મોદીનું યાદગાર અભિનંદન કરવા માટે તૈયાર છે. તેમના પ્રવાસ પહેલા માગ ઉઠી છે કે ભક્તિ પથ પાસેથી પસાર થતા સમયે વડાપ્રધાન યજ્ઞ વેદીમાં બે આહુતિ અર્પણ કરે.

જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરે સૌથી પહેલા મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ એરપોર્ટ પહોંચશે. જે જાણકારી સામે આવી છે તે મુજબ ત્યાંથી તે સીધા અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પહોંચશે. અહીં વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે અને પરત તેઓ અયોધ્યા એરપોર્ટ પહોંચશે. તેનું ઉદ્ઘટાન કર્યા બાદ તેઓ સભા સ્થળ પર પહોંચશે.

વડાપ્રધાનનો કાફલો ધર્મ પથ અને રામ પથ પાસેથી પસાર થશે

વડાપ્રધાન મોદીને અહીં સાંભળવા માટે લગભગ 2 લાખથી વધારે લોકો આવશે તેવી સંભાવના છે. આ બધાની વચ્ચે એરપોર્ટથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન સુધી પહોંચવા સુધીની તેમની સફર ખુબ જ ખાસ રહેશે, કારણ કે તેની વચ્ચે સાધુ-સંત હશે કે અયોધ્યાવાસી, તમામ લોકો વડાપ્રધાનનું સ્વાગત કરવા જોવા મળશે. ત્યારે વડાપ્રધાનના કાફલા પર જયઘોષની સાથે પુષ્પવર્ષા કરશે.

લાંબા સમયથી વડાપ્રધાન મોદી માટે થઈ રહ્યો છે આ યજ્ઞ

વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે. તે પહેલા 30 ડિસેમ્બરે તે શ્રી રામ જન્મભૂમિ મંદિર જશે કે નહીં. તેને લઈ કોઈ જાણકારી સામે આવી નથી. સુત્રો મુજબ અયોધ્યા જિલ્લા તંત્રના કાર્યક્રમ પ્લાનમાં પણ મંદિર દર્શન સામેલ નથી.

જો કે ધર્મ પથથી શ્રી રામ પથ થઈને જ્યારે વડાપ્રધાન મોદી આગળ વધશે તો શ્રી રામ મંદિરનો વીઆઈપી ગેટ પણ જોવા મળશે. જ્યાંથી શ્રી રામ જન્મભૂમિ મંદિર માત્ર 500 મીટર દુર છે. ત્યારે ટ્રસ્ટ તૈયારીઓમાં લાગ્યુ છે. તેની સાથે જ તે લોકોની ઈચ્છાઓ અને આશા જાગી ગઈ છે, જે લાંબા સમયથી વડાપ્રધાન મોદી માટે યજ્ઞ અને પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રકાશ ગુપ્તા (કાર્યાલય પ્રભારી શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ)એ કહ્યું કે આ નિર્ણય વડાપ્રધાન મોદી પર આધાર રાખે છે. જો તેમની ઈચ્છા અસ્થાયી મંદિરમાં દર્શન કરવા જવાની છે તો ટ્રસ્ટ તેમનું સ્વાગત કરશે. જે રસ્તા પર તેમને જવાનું છે, તેની પર ભક્તિ પથ પણ છે. જો કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તેમને સામેલ તો થવાનું જ છે.

કલ્કી રામ મહારાજે કહ્યું કે વડાપ્રધાનની આગેવાનીમાં રામલલ્લા સરકાર ગર્ભ ગૃહમાં બિરાજમાન થશે. 30 ડિસેમ્બરે વડાપ્રધાન એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. તે આ જ ભક્તિ પથ પરથી પસાર થસે. સંત-મહંત તેમના સ્વાગત માટે ઉત્સુક છે. છેલ્લા 9 વર્ષથી વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને તેમના પ્રયત્નોની સફળતા માટે દિવ્ય યજ્ઞ સંચાલિત છે.

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">