AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: યાત્રા શરૂ થતા પહેલા કેદારનાથમાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના પંખાને કારણે એક યુવકનું મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરના લેન્ડિંગ દરમિયાન જ્યારે અમિત સૈની હેલિકોપ્ટરની નજીક જઈ રહ્યા હતા ત્યારે ટેલ રોટર (પાછળના પંખા)ની પકડને કારણે તેમની ગરદન કપાઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

Uttarakhand: યાત્રા શરૂ થતા પહેલા કેદારનાથમાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના પંખાને કારણે એક યુવકનું મોત
Big accident before the start of Kedarnath Yatra
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 4:35 PM
Share

કેદારનાથ યાત્રા શરૂ થતા પહેલા જ ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારે બપોરે હેલિકોપ્ટરના પંખાની ઝપેટમાં આવી જતાં એક યુવકનું મોત થયું હતું. મૃતકનું નામ અમિત સૈની જણાવવામાં આવી રહ્યું છે. સૈની ઉત્તરાખંડ સિવિલ એવિએશનના નાણાકીય નિયંત્રક હતા.

યાત્રા પહેલા કેદારનાથમાં મોટી દુર્ઘટના

સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરના લેન્ડિંગ દરમિયાન જ્યારે અમિત સૈની હેલિકોપ્ટરની નજીક જઈ રહ્યા હતા, ત્યારે ટેલ રોટર (પાછળના પંખા)ની પકડને કારણે તેમની ગરદન કપાઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિપેડ પર દુર્ઘટના સમયે ઉત્તરાખંડ સિવિલ એવિએશનના CEO પણ હાજર હતા. આ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી રહી છે. ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટર સાથે થયેલા અકસ્માતની ઝીણવટભરી તપાસ બાદ જ હકીકત બહાર આવશે.

સૂત્રોનું કહેવું છે કે હેલિકોપ્ટરના બ્લેડ ઉતર્યા બાદ બંધ થયુ ન હતુ અને હેલિકોપ્ટરની બ્લેડ વાગવાથી સૈનીનું મૃત્યુ થયું હતું. આને હેલી કંપનીની મોટી ભૂલ માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા હેલી સર્વિસના એક કર્મચારીનું પણ આવી જ બ્લેડ વાગવાથી મોત થયું હતું.

25 એપ્રિલથી ખુલશે કેદારનાથના કપાટ

બાબા કેદારનાથના દ્વાર 25 એપ્રિલથી ખુલવા જઈ રહ્યા છે, જેના માટે પ્રશાસન સ્તરે તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. આ સાથે મંદિર સમિતિ કેદારનાથ મંદિરને સજાવવા માટે પણ કામ કરી રહી છે. તમામ વિભાગો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. સાથે જ યાત્રિકોની સુવિધા માટે હેલી સેવાઓ પણ ધામમાં પહોંચી ગઈ છે. ડીજીસીએ આ વખતે કેદારનાથ ધામ માટે નવ હેલી સેવાઓની મંજૂરી આપી છે. આ નવ હેલી સેવાઓ ગુપ્તકાશી, ફાટા અને શેરસીથી ઉડાન ભરશે. હેલી સેવા દ્વારા કેદારનાથ ધામ જતા યાત્રાળુઓ માત્ર IRCTC વેબસાઇટ http://heliyatra.irctc.co.in પર ટિકિટ બુક કરાવી શકે છે.

આ પણ વાંચો: Karnataka Assembly Election: કર્ણાટકનો કિલ્લો સર કરવા ભાજપે કસી કમર, નડ્ડા, પીએમ મોદી, અમિત શાહ ગજવશે જાહેર સભાઓ

ખરાબ હવામાનને કારણે નોંધણી અટકી

બીજી તરફ ચાર ધામ યાત્રા રજીસ્ટ્રેશન ટુરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ હેડક્વાર્ટરના આદેશ પર રવિવારે સવારે કેદારનાથ જતા યાત્રીઓની નોંધણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ ધામ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. એડવાન્સ ઓર્ડર મળ્યા બાદ જ કેદારનાથ ધામ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં આજે પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના ઊંચા વિસ્તારોમાં હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. જ્યારે ઉત્તરાખંડના અન્ય જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">