ભારતમાં રામરાજ્યનો ઉદયઃ CM યોગી આદિત્યનાથ
ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિરના પુજન બાદ ઉપસ્થિત આમંત્રિતોને આવકારતુ સંબોધન કર્યું હતું. રામમંદિરના ભૂમિપૂજનથી 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. રામ મંદિર માટે પાંચ શતાબ્દીથી 135 કરોડ ભારતવાસીઓએ રાહ જોઈ રહ્યા હતા. મંદિર માટેની સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય છે, તે વિશ્વને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવ્યું છે. શાંતિપૂર્ણ રીતે બંધારણીય રીતે ઉકેલ લાવીને લાવ્યા […]
ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિરના પુજન બાદ ઉપસ્થિત આમંત્રિતોને આવકારતુ સંબોધન કર્યું હતું. રામમંદિરના ભૂમિપૂજનથી 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. રામ મંદિર માટે પાંચ શતાબ્દીથી 135 કરોડ ભારતવાસીઓએ રાહ જોઈ રહ્યા હતા. મંદિર માટેની સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય છે, તે વિશ્વને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવ્યું છે. શાંતિપૂર્ણ રીતે બંધારણીય રીતે ઉકેલ લાવીને લાવ્યા છે. અવધપૂરીને ભૌતિક સુખ સુવિધાથી દુનિયાની સૌથી વૈભવશાળી બનાવાશે. રામ સર્કીટમાં અયોધ્યાને જોડીને અનેક સ્થળોનો વિકાસ વડાપ્રધાને કર્યો છે. આપણા સૌ માટે ભાવનાત્મક, આનંદ, ઉત્સાહનો દિવસ છે. મંદિર માટે જ નહી એ ભારતને રામરાજ્ય માટે ચરિતાર્થ કરવાની દિશામાં સંકલ્પ કર્યો હતો. કોઈની સાથે ભેદભાવ નહી. ભગવાન રામનું આ મંદિર ભારતની કિર્તીનું પ્રતિક બનશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો