Beant Singhનાં હત્યારાની સજા માફી અંગે સુપ્રીમની કેન્દ્રને ટકોર, કહ્યું 26 જાન્યુઆરી સુધી નિર્ણય લે
પંજાબના પુર્વ મુખ્યમંત્રી Beant Singh ની હત્યાના દોષી બલવંતસિંહની ફાંસીની સજાને ઉંમરકેદમા તબદીલ કરવા પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે તાત્કાલિક નિર્ણય લેવા જણાવ્યું છે.
પંજાબના પુર્વ મુખ્યમંત્રી Beant Singh ની હત્યાના દોષી બલવંતસિંહની ફાંસીની સજાને ઉંમરકેદમા તબદીલ કરવા પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે તાત્કાલિક નિર્ણય લેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 26 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર બલવંતસિંહ રાજોઆનાની અરજી પર 26 જાન્યુઆરીના સુધી નિર્ણય કરશે જેમાં તેમણે સજા ઓછી કરવા અંગે અનુરોધ કર્યો છે.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્ર સરકારને કહ્યું કે પંજાબના પૂર્વ સીએમBeant Singh ની હત્યાના દોષી બલવંતસિંહ રજોઆનાને ફાંસીની ઉંમર કેદમાં બદલવા પર જલ્દી નિર્ણય લેવા કોર્ટે કહ્યું કે 26 જાન્યુઆરી સારો દિવસ છે. તે પૂર્વે રાષ્ટ્રપતિ પાસે ફાઇલ મોકલી આપે. બલવંત સિંહ અંદાજે 25 વર્ષથી જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1995માં ચંદીગઠ સ્થિત સચિવાલયના સામે થયેલા બોમ્બ ધડાકામા Beant Singh સહિત 18 લોકોના મોત થયા હતા, રાજોઆનાને વિશેષ અદાલતે વર્ષ 2007 માં ફાંસીની સજા સંભળાવી હતી.